અંકલેશ્વર: રાજપીપળા રોડની મંગલદીપ સોસાયટીમાં બિલ્ડીંગ પરથી નીચે પટકાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત

રાજપીપળા રોડ ઉપર આવેલ મંગલદીપ સોસાયટીમાં અગમ્ય કારણોસર બિલ્ડીંગ પરથી પટકાયેલ ઈજાગ્રસ્ત પરપ્રાંતીય યુવાનનું સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું

Update: 2022-09-29 08:31 GMT

અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ મંગલદીપ સોસાયટીમાં અગમ્ય કારણોસર બિલ્ડીંગ પરથી પટકાયેલ ઈજાગ્રસ્ત પરપ્રાંતીય યુવાનનું સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું

મૂળ યુપીના અને હાલ અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ મંગલદીપ સોસાયટી લક્ષ્મણ નગર ખાતે રહેતા બ્રિજેશકુમાર ઓમપ્રકાશ સાધુ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની રિદ્ધિ ફાર્મા કંપનીમાં નોકરી કરી છે જેઓ છેલ્લા બે વર્ષથી તેના પિતરાઈ ભાઈ ૩૨ વર્ષીય રામહેત રામ સ્વરૂપ પાલ અને અન્ય મિત્રો સાથે રહે છે ગતરોજ તેઓ કંપની પરથી ઘરે આવ્યા હતા અને રાતે સુઈ ગયા હતા તે દરમિયાન રૂમનો પંખો બંધ થઇ ગયો હતો તે વેળા પિતરાઈ ભાઈ રામહેત પાલ રાજેશકુમારના ઘરે સુવા જવાનું કહી નીકળ્યો હતો જે બાદ બાર વાગ્યે મકાન માલિક મમતાદેવી તેઓના રૂમ પર આવ્યા હતા અને રામહેત પાલ બિલ્ડીંગ પરથી નીચે પટકાયો હોવાનું જણાવ્યું હતું જેને પગલે બ્રિજેશકુમાર અને અન્ય મિત્રો સ્થળ પર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક રીક્ષામાં જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News