અંકલેશ્વર : ધોરણ 8મા અભ્યાસ કરતી બાળકી સાથે લંપટ આચાર્યે કર્યા શારીરિક અડપલાં, પોલીસે ઝડપી પાડી ગણાવ્યા જેલના સળિયા

ચાલુ શાળાએ ઓફિસની સાફ-સફાઈ કરવાના બહાને આચાર્યએ બોલાવી શારીરિક અડપલા કર્યા હતા

Update: 2023-06-25 11:18 GMT

અંકલેશ્વર તાલુકાના એક ગામની આદિવાસી 13 વર્ષની દીકરી છેલ્લા 2 દિવસથી શાળાએ જતી ન હતી. જેનું કારણ સરકારી શાળાના આચાર્યએ જ ધોરણ 8મા અભ્યાસ કરતી બાળકીની છેડતી કરી હતી. ચાલુ શાળાએ ઓફિસની સાફ-સફાઈ કરવાના બહાને આચાર્યએ બોલાવી શારીરિક અડપલા કર્યા હતા. ગભરાયેલી બાળકી આચાર્યથી પોતાને છોડાવી ઓફિસની બહાર ભાગી આવી જે બાદ તે શાળાએ જવા જ માંગતી ન હતી. બે દિવસ શાળાએ નહી જતા માતા-પિતાએ બાળકીની પુછપરછ કરતા સમગ્ર ઘટના બહાર આવી છે.

પરિવારજનોએ તાત્કાલિક પોલીસ મથકે દોડી આવી આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. ગામનો સરપંચ પણ વચ્ચે પડતા આચાર્યે પોતે બદલી કરાવી બીજે જતા રહેવાની અને માફીપત્ર લખી આપવાની કાકલૂદી ચાલુ કરી દીધી હતી. હવે પછી આવી હીન હરક્ત નહિ કરું નું માફીપત્ર લખી આપતા આ બનાવમાં આચાર્ય પોલીસ ફરિયાદથી બચી ગયો છે. જોકે મીડિયામાં સમગ્ર અહેવાલ પ્રસારિત થતા પોલીસે ત્વરિત અસરથી લંપટ આચાર્ય હિતેન્દ્ર પરમાર સામે અડપલા અને પોક્સો એકટ હેઠળ ગુનો દાખલ કરી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે નરાધમને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

Tags:    

Similar News