અંકલેશ્વર: ગડખોલ ઓવરબ્રિજ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા સ્પીડ બ્રેકર બનાવવાની માંગ, આપ દ્વારા પાઠવાયું આવેદનપત્ર

આમ આદમી પાર્ટી દ્વારા અંકલેશ્વર ગડખોલ ઓવરબ્રિજ ઉપર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Update: 2022-10-13 11:37 GMT

આમ આદમી પાર્ટી દ્વારા અંકલેશ્વર ગડખોલ ઓવરબ્રિજ ઉપર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Full View

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર ભરૂચ વચ્ચે જૂના નેશનલ હાઇવે ઉપર આવેલ ગડખોલ પાટીયા પાસે ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે જે ઓવરબ્રિજ ઉપર સ્પીડ બ્રેકરના અભાવે અવારનવાર અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે સાથે બ્રિજ ઉપર રેલિંગ નહીં હોવાથી અકસ્માતના સમયે નીચે પડવાની શક્યતા હોય ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સ્પીડ બ્રેકર અને રેલિંગ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સાથે મામલતદાર કચેરી ખાતે જાતિના દાખલા રેશનકાર્ડ અને અન્ય યોજનાઓના દાખલા સરળતા પૂર્વક મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને લોકોને ધર્મના ધક્કા નહીં ખાવા પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.

Tags:    

Similar News