અંકલેશ્વર: નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા સંકલ્પ યાત્રા અંતર્ગત માર્ગદર્શન શિબિર યોજાય

અંકલેશ્વરની ગાર્ડન સીટીના ગરબા ગ્રાઉન્ડ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા સંકલ્પ યાત્રા અંતર્ગત માર્ગદર્શન શિબિર યોજાઈ હતી

Update: 2022-09-05 08:04 GMT

અંકલેશ્વરની ગાર્ડન સીટીના ગરબા ગ્રાઉન્ડ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા સંકલ્પ યાત્રા અંતર્ગત માર્ગદર્શન શિબિર યોજાઈ હતી

૨૨મી જુન ૨૦૦૪ના રોજ નરેન્દ્ર મોદી વિચાર મંચની સ્થાપના કરવામાં આવી હતી આ મંચના સ્થાપક રવિ ચાણક્ય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિન નિમિત્તે વિજય સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આવનાર વિધાનસભાની ચૂંટણીમાંથી મોદી સરકારને શા માટે ચૂંટીને લાવું તે માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વરની ગાર્ડન સીટીના ગરબા ગ્રાઉન્ડ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા સંકલ્પ યાત્રા અંતર્ગત માર્ગ દર્શન શિબિર યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ માર્ગ દર્શન શિબિરમાં સંસ્થાપક રવિ ચાણકય અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News