અંકલેશ્વર: મહાસુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું,મોટી સંખ્યામાં ભાવિક-ભક્તો જોડાયા
અંકલેશ્વર સુંદરકાંડ પરિવાર દ્વારા શનિવારના રોજ મહાસુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
અંકલેશ્વર સુંદરકાંડ પરિવાર દ્વારા શનિવારના રોજ મહાસુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
ભરૂચના અંકલેશ્વરમાં સુંદરકાંડ પરિવાર છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે ત્યારે આ પરિવારના 21માં વર્ષના મંગળ પ્રવેશ નિમિત્તે મહા સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ અંકલેશ્વર રોડ પર આવેલ અક્ષર આઈકોન ખાતે આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સુંદરકાંડનું સામૂહિક પઠન કર્યું હતું