અંકલેશ્વર : રાજપીપળા ચોકડી અને GIDC વિસ્તારની સોસાયટીના મકાનો ચઢ્યા તસ્કરોના નિશાને...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.

Update: 2022-08-26 09:35 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. તેવામાં અંકલેશ્વરમાં થયેલી 2 અલગ અલગ સોસાયટીઓમાં થયેલ ચોરીની ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી.

ભરૂચ જિલ્લામાં તસ્કરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો હોય તેમ પોલીસના ડર વિના અંકલેશ્વર શહેરની અલગ અલગ સોસાયટીઓમાંથી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ અંબિકા રેસીડેન્સીના મકાનમાંથી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત લાખોના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે હાલ તો મકાન માલિક દ્વારા આ મામલે અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરવામાં આવી છે, જ્યારે શહેર પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

તો બીજી તરફ, અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ આદિત્યનગર સોસાયટીમાં પણ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં પાછળ ભાગે રહેલી કિચનની બારીમાંથી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો. 3 મોબાઈલ, સોનાનું પેંડલ સહિત રોકડ રકમની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જોકે, ઘરના સભ્યો મકાનમાં હોવા છતાં ચોરી કરવામાં સફળ રહેતા તસ્કરોએ જાણે પોલીસ સામે પડકાર ફેંક્યો છે, ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ડોગ સ્કવોર્ડની મદદથી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

Tags:    

Similar News