અંકલેશ્વર: રૂ.55 લાખના ખર્ચે મહત્વના જવાહર બાગનું નવિનીકરણ,લોકો માટે ખુલ્લો મુકાયો

CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ઇ લોકાર્પણ કરાયેલ અંક્લેશ્વરના જવાહર બાગને પાલિકા પ્રમુખ તેમજ સભ્યોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

Update: 2024-03-09 11:12 GMT

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઇ લોકાર્પણ કરાયેલ અંક્લેશ્વરના જવાહર બાગને પાલિકા પ્રમુખ તેમજ સભ્યોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના જવાહર બાગનું રું.55 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે.જેનું ઇ લોકાર્પણ ભરૃચ ખાતેથી વિવિધ પ્રકલ્પો સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં કર્યું હતું.જે બાદ ગતરોજ સાંજે અંક્લેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબહેન રાજપુરોહીત, પૂર્વ પ્રમુખ વિનય વસાવા, સહિત સભ્યો અને આગેવાનોની ઉપસ્થિતિમાં જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

Tags:    

Similar News