જામનગર : રિવાબા જાડેજાએ લોકસંપર્કઅભિયાન હેઠળ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે જામનગર વિધાનસભા 78 ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ ડોર ટુ ડોર લોકસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો છે.

Update: 2022-11-16 08:29 GMT

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે જામનગર વિધાનસભા 78 ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ ડોર ટુ ડોર લોકસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે. જોકે, હવે ઉમેદવારો દ્વારા મેદાનમાં ઉતરી લોક સંપર્ક જેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે જામનગર વિધાનસભા 78 ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા દ્વારા ડોર ટુ ડોર લોકસંપર્ક અભિયાનનો પ્રારંભ કરાયો છે. જેમાં વોર્ડ નંબર 2ના રામેશ્વર ચોક, મોમાઈ પાન, કે.પી.શાહની વાડી, નંદન પાર્ક, ગાયત્રીનગર, ભોળેશ્વર સોસાયટી, રાંદલનગર, મચ્છરનગર સહિતના વિસ્તારોમાં રિવાબા જાડેજા લોકો સાથે સંપર્ક કરી રહ્યા છે. તેઓની સાથે રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર અધ્યક્ષ વિમલ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, કોર્પોરેટર ડીમ્પલ રાવલ સહિતના આગેવાનો અને ભાજપના કાર્યકરો લોકસંપર્કમાં ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News