ભરૂચ: અંકલેશ્વરની સુરવાડી ફાટક પર નવ નિર્માણ પામેલ ફ્લાય ઓવર બ્રિજનું આવતીકાલે વર્ચ્યુઅલ લોકાર્પણ
વાહન ચાલકો માટે રાહતના સમાચાર. અંકલેશ્વરની સુરવાડી રેલવે ફાટક પર બનેલ ઓવરબ્રિજનું થશે લોકાર્પણ
અંકલેશ્વર શહેર તેમજ ગડખોલ પાટિયાને જોડતા માર્ગ ઉપર સુરવાડી ફાટક પર નવ નિર્માણ પામેલ બ્રિજનું ઈ લોકાર્પણ ગુરુવારના રોજ કરાશે. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ આ બ્રિજ ખુલ્લો મુકશે.
અંકલેશ્વર શહેર તરફથી જુના નેશનલ હાઈવે નંબર ૮ ને જોડતા માર્ગ સુધી સુરવાડી રેલ્વે ફાટક ઉપર નવા ફ્લાય ઓવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વાહનચાલકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને આ બ્રિજની માંગ ઉઠતા વર્ષ ૨૦૧૬ લમાં તેને પ્રાથમિક મંજુરી આપવામાં આવી હતી. અને ત્યારે બાદ ૫ વર્ષે આ બ્રિજનું એક નિર્માણ પૂર્ણ થયું છે જો કે જુના નેશનલ હાઈવે નંબર ૮ ઉપર એક તરફ નો ભાગ નિર્માણ કરવાનો બાકી છે.
પરંતુ ભરૂચ તરફ જવાનો માર્ગ પૂર્ણ થઇ જતા તેનું ઈ લોકાર્પણ કરી દેવામાં આવશે. ગુરુવારે સવારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે તેનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરવામાં આવશે. ૧૦૪.૮૬ કરોડના ખર્ચે આ બ્રીજ નિર્માણ પામ્યો છે. ત્યારે આ બ્રીજ ખુલ્લો મુકાતા વાહનચાલકોનો સમય હવે ફાટક ઉપર નહિ વેડફાય. ઈ લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચના સંસદ મનસુખ વસવા,ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.