સાબરકાંઠા : વિજયનગરમાં હાહાકાર મચાવનાર કપિરાજ આખરે પુરાયો પાંજરે
સાબરકાંઠા જિલ્લાનાં વિજયનગર તાલુકાના રાજપુર તેમજ ગોડવાડા ગામે તેમજ આજુબાજુના ગામોમાં કપિરાજે છેલ્લા 1 મહિના થી આતંક મચાવી રહ્યો હતો
સાબરકાંઠા જિલ્લાનાં વિજયનગર તાલુકાના રાજપુર તેમજ ગોડવાડા ગામે તેમજ આજુબાજુના ગામોમાં કપિરાજે છેલ્લા 1 મહિના થી આતંક મચાવી રહ્યો હતો અને લોકોમાં પણ ભય નો માહોલ જોવા મળી રહ્યો હતો ગાય,ભેંસ,બકરી ને ડુચા ભરીને પરેશાન કરવાવાળો પૂછડી વગર નો કપિરાજ ને વિજયનગર નોર્મલ રેન્જ ના સ્ટાફ સી.એસ.ચૌધરી,એન.એન.મેરજીયા તથા એસ.પી.સોલંકી સતત ૨૪ કલાક થી ખુબ જ મહેનત બાદ કપિરાજ નું રેસ્કયું કરવામાં આવ્યું હતો તથા ગામ લોકોનો પણ ખૂબ જ સહકાર મળે હોય અને માણસોને પણ ઘણીવાર હેરાન કરતો કપિરાજ અંતે પાંજરે પૂરતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.અને કપિરાજ ને જંગલમાં સુરક્ષિત છોડી મુકાયો હતો.