Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : સ્વામી વિવેકાનંદ એકડમીમાં 'અદ્દભૂત યાદશિકત' વિષય ઉપર સેમિનાર

અંકલેશ્વર : સ્વામી વિવેકાનંદ એકડમીમાં અદ્દભૂત યાદશિકત વિષય ઉપર સેમિનાર
X

શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

અંકલેશ્વર શહેરની દીવા રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ શાળામાં 4 ઓગસ્ટ 2018 શનિવારના રોજ 'અદ્દભૂત યાદશકિત' વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનાર શાળાના શારદા દેવી ભવનમાં રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સંજય પ્રેસવાલાએ હાજર રહી વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, ભણતરમાં વિદ્યાર્થીઓ પોતાની યાદશકિત કેવી રીકે વધારી શકે છે. તે માટેની જુદી જુદી યુક્તિ અને ટેકનીકની સમજણ પુરી પાડી હતી. આ ટેકનીક અને યુક્તિ વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખુબ જ ઉપયોગી નીવડશે તેમ પણ વધુમાં જણાવ્યું હતું. આ સેમિનારમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહી કાયક્રમને સફળ બનાવ્યો હતો.

Next Story