અંકલેશ્વર : GIDCમાં આવેલ યોગેશ્વરનગરમાં 28 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
યુવકે ભાડાના મકાનમાં ધાબાની સીલિંગ સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું
BY Connect Gujarat Desk12 Aug 2022 3:02 PM GMT
X
Connect Gujarat Desk12 Aug 2022 3:02 PM GMT
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશનની હદમાં આવેલ યોગેશ્વર નગરના રૂમ-નં,109માં ભાડાના મકાન રહેતા 28 મૂળ મધ્ય પ્રદેશના 28 વર્ષીય રાજેશ્વર નંદકુમાર દ્વિવેદીએ અગમ્યો કારણોસર આશરે 2 દિવસ પહેલા ભાડાના મકાનમાં ધાબાની સીલિંગ સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. 2 દિવસ બાદ મકાન માલિકને રૂમમાંથી ગંધ આવતા સારંગપુર પોલીસ ચોકીએ જાણ કરી હતી..
પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહ લટકતો ઉતારી એમ.પી.માં રહેતા તેના પરિવારજનો સાથે ટેલિફોનિક પોલિસ દ્વારા જાણ કરાતા પરિવારજનોએ તેઓના પુત્રને અમે જ્યાં સુધી ત્યાં ના આવીએ ત્યા સુધી બોડીને ઉતારતા નહીં તેમ જણાવ્યુ હતું. પોલીસે બાદમાં પરિવાર સાથે સમજાવટ કર્યા બાદ મૃતદેહ જયાબેન મોદી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં લઈ જવાયો હતો..
Next Story