અંકલેશ્વર: ગાર્ડનસિટી ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું કરાયું આયોજન
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ગાર્ડનસિટી દ્વારા રેડ ક્રોસ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
BY Connect Gujarat Desk8 Sep 2022 9:08 AM GMT
X
Connect Gujarat Desk8 Sep 2022 9:08 AM GMT
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગાર્ડનસીટીના સી-3 બ્લોકમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં દુંદાળાદેવની આરાધના કરવામાં આવી રહી છે સાથે જ સમાજ સેવાના ભાગરૂપે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ગાર્ડનસિટી દ્વારા રેડ ક્રોસ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરતાં 116 યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રેસિડેન્ટ ધવલ બોરકર,વાઇઝ પ્રેસિડેન્ટ રાજેશ બોરકર,રાહુલ પ્રદીપ,અજય કૌશિક સહિત લાયન્સ કલબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
Delete Edit
Next Story