ભરૂચ: ઝઘડિયાના પાણેથા ગામ નજીક કાર ચાલકે 4 રાહદારીઓને અડફેટે લેતા ઇજા
પાણેથા ગામ નજીક ગત રાત્રી દરમીયાન ચાલવા નિકળેલા એક જ પરીવારના ચાર સભ્યોને કાર ચાલકે અડફેટમાં લઈ ફરાર થઈ ગયો હતો.
BY Connect Gujarat4 April 2022 7:10 AM GMT
X
Connect Gujarat4 April 2022 7:10 AM GMT
ઝઘડિયા તાલુકાનાં પાણેથા ગામ નજીક ગત રાત્રી દરમીયાન ચાલવા નિકળેલા એક જ પરીવારના ચાર સભ્યોને કાર ચાલકે અડફેટમાં લઈ ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં 4 વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. એક જ પરિવારના 4 સભ્યો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતુ
Next Story