Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયાના રાણીપુરા ગામે પ્રેમ પ્રકરણ બાબતના ઝઘડામાં વચ્ચે પડનાર યુવકની હત્યા,જાણો શું છે સમગ્ર મામલો..?

રાણીપુરા ગામે પ્રેમિકાને મળવા ગયેલ યુવકને યુવતીના ભાઇઓ માર મારતા વચ્ચે પડેલ અન્ય યુવકને મુઢ માર મારી ગળુ દબાવી તેની હત્યા કરાઇ હોવાની ઘટના બનવા પામી છે.

ભરૂચ : ઝઘડીયાના રાણીપુરા ગામે પ્રેમ પ્રકરણ બાબતના ઝઘડામાં વચ્ચે પડનાર યુવકની હત્યા,જાણો શું છે સમગ્ર મામલો..?
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે પ્રેમિકાને મળવા ગયેલ યુવકને યુવતીના ભાઇઓ માર મારતા વચ્ચે પડેલ અન્ય યુવકને મુઢ માર મારી ગળુ દબાવી તેની હત્યા કરાઇ હોવાની ઘટના બનવા પામી છે.

મળતી માહિતી અનુસાર સ્વપ્નિલ વસાવાને રાણીપુરા ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ છે. આ યુવક ગતરોજ રાણીપુરા ગામે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. ત્યારબાદ સ્વપ્નિલ રાતના અઢી વાગ્યાના અરસામાં તેની પ્રેમિકાને મળવા તેના ઘરના પાછળના વાડામાં ગયો હતો. તે સમયે સ્વપ્નિલ વસાવાનો મિત્ર વિપુલ નજીકમાં રોડ ઉપર ઉભો રહેલ હતો. યુવતીને મળવા આવેલ તેના પ્રેમીને યુવતીના ભાઇઓ જોઇ જતા તેઓ ઝઘડો કરીને સ્વપ્નિલને લાકડીના સપાટા મારવા લાગ્યા હતા. આ જોઇને વિપુલ વસાવા છોડાવવા વચ્ચે પડ્યો હતો. તે દરમિયાન હિતેશ વસાવા અને વિપુલ વસાવાએ છોડાવવા વચ્ચે પડનાર વિપુલને ઢિકાપાટુનો તેમજ મુઢ મારમારીને તેનું ગળુ દબાવીને જમીન પર પાડી દીધો હતો. ઘટનાની જાણ વિપુલના પિતા રતિલાલ વસાવાને થતાં તેઓ તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ વિપુલને ઝઘડીયા સેવારુરલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે વિપુલને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાબતે મૃતકના પિતા રતિલાલ વસાવાએ હિતેશ વસાવા અને વિપુલ વસાવા વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Next Story