Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આંબેડકર જયંતિ નિમિત્તે આંબેડકર યુવક મંડળ દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો...

ભરૂચ શહેરના ફાટા તળાવ વિસ્તાર સ્થિત વૈરાગી વાડ ખાતે આંબેડકર યુવક મંડળ દ્વારા રમાડવામાં આવતી રમતોમાં વિજેતા થયેલા બાળકોને ઇનામ એનાયત કરાયા હતા.

X

ભારત બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ શહેરના ફાટા તળાવ વિસ્તાર સ્થિત વૈરાગી વાડ ખાતે આંબેડકર યુવક મંડળ દ્વારા રમાડવામાં આવતી રમતોમાં વિજેતા થયેલા બાળકોને ઇનામ એનાયત કરાયા હતા.

ભરૂચ શહેરના ફાટા તળાવ વિસ્તાર સ્થિત વૈરાગી વાડ ખાતે આંબેડકર યુવક મંડળ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની તસવીરને ફુલહાર અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કેક કટીંગ કરી બાબા સાહેબ અમર રહો નારાઓથી વાતાવરણ ગજવી મુક્યું હતું. ત્યારબાદ આંબેડકર યુવક મંડળ દ્વારા રમાડવામાં આવતી વિવિધ રમતોમાં વિજેતા થયેલા વિજેતાઓને ઇનામ એનાયત કરાયા હતા. જેમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાય હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર એન.આર.ધાંધલ, જીવન વીમા નિગમના નિવૃત અધિકારી માવજી ખુમાણ, નિવૃત મામલતદાર ખોડાભાઈ કોળી, ઉદ્યોગપતિ ધર્મેશ ચાવડા, નગરસેવક ધનજી ગોહિલ, પ્રવીણ પટેલ, પૂજા રાઠોડ, નિશા વસાવા, દિનેશ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આંબેડકર યુવક મંડળના પ્રમુખ અશોક સોલંકી, ઉપપ્રમુખ કનુ પરમાર, ખજાનચી રાજેશ કણબી, કમિટી મેમ્બર યશ મકવાણા, રાજ મારવાડી અને પંકજ દાફડાએ કર્યુ હતું.

Next Story