Connect Gujarat
ધર્મ દર્શન 

વડોદરા: ગોત્રી-ભાયલી રોડ પર પુષ્ટિમાર્ગીય હવેલીનું નિર્માણ થશે, દ્વારકેશલાલજી મહારાજના હસ્તે ખાતમુહૂર્ત

વડોદરા: ગોત્રી-ભાયલી રોડ પર પુષ્ટિમાર્ગીય હવેલીનું નિર્માણ થશે, દ્વારકેશલાલજી મહારાજના હસ્તે ખાતમુહૂર્ત
X

વડોદરા શહેરના ગોત્રી-ભાયલી રોડ પર પ્રથમ પુષ્ટિમાર્ગીય હવેલીનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પધારેલા હવેલીના પ્રેરક પણ પીઠાધીશ દ્વારકેશલાલજી મહારાજના અધ્યક્ષસ્થાને અને એમની પ્રેરણાથી હવેલીનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે. આ પહેલા મુકેશભાઇ જમનાદાસ શાહે દ્વારકેશલાલજી મહારાજ સમક્ષ હવેલી બનાવવાનો મનોરથ વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે સવારે 10 વાગ્યાથી વેદોક્ત ધ્વનિથી ખાત પૂજનની વૈદિક પૂજા આરંભ કરવામાં આવી હતી, જેમાં વડોદરા શહેરના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિધિ સંપન્ન કરવામાં આવી હતી અને સર્વે મહાનુભાવોની પાવન ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત પૂજન કળશને પધરાવવાની વિધિ દ્વારકેશલાલજી મહારાજના હસ્તે કરવામાં આવી હતી.

નિર્માણાધીન કલ્યાણધામ હવેલીમાં જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી દ્વારા સ્થાપિત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરંપરાનુસાર વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિકસિત થઇ રહેલા ગોત્રી-ભાયલી રોડ ઉપર પેવેલિયન હાઈટ્સ ખાતે ષષ્ઠ પીઠાધિશ્વર દ્વારકેશલાલજી મહારાજ વડોદરાની અધ્યક્ષતા અને માર્ગદર્શનમાં કલ્યાણધામ હવેલીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેમાં શ્રીગોવર્ધનધરણ પ્રભુ તથા શ્રીકલ્યાણરાય પ્રભુ બિરાજશે અને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને આનંદ પ્રાપ્ત થશે.આ પ્રસંગે મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મંત્રી મનીષાબેન વકીલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સાંસદ રંજન ભટ્ટ, ધારાસભ્ય શૈલેષ મેહતા, સીમાબેન મોહિલે, ભાજપ શહેર પ્રમુખ ડો. વિજય શાહ, મેયર કેયુર રોકડિયા અને વડોદરાના પૂર્વ કલેક્ટર ભાગ્યેશ જહા ઉપસ્થિત રહ્યા હતા.

Next Story