Connect Gujarat
મનોરંજન 

આર્યન ખાનની ઘર વાપસી: 27 રાત વિતાવ્યા બાદ જેલમાંથી બહાર આવ્યો,જુઓ તસ્વીરો

27 રાત જેલમાં પસાર કર્યા બાદ આજે, 30 ઓક્ટોબરે આર્યન જેલમાંથી બહાર આવ્યો છે.આર્યનને લેવા માટે શાહરુખ નહોતો આવ્યો

આર્યન ખાનની ઘર વાપસી: 27 રાત વિતાવ્યા બાદ જેલમાંથી બહાર આવ્યો,જુઓ તસ્વીરો
X

27 રાત જેલમાં પસાર કર્યા બાદ આજે, 30 ઓક્ટોબરે આર્યન જેલમાંથી બહાર આવ્યો છે.આર્યનને લેવા માટે શાહરુખ નહોતો આવ્યો, પરંતુ તેણે પોતાની રેન્જ રોવર કાર બોડીગાર્ડ રવિ સાથે મોકલી હતી. આજે પરોઢિયે 5:30 વાગ્યે આર્થર રોડ જેલની જામીન પેટી ખૂલી હતી. ત્યાર બાદ આર્યન ખાનની જામીનના કાગળ જેલની અંદર પહોંચ્યા હતા અને ત્રણથી ચાર કલાકની અંદર જામીનની કાર્યવાહી પૂરી કરવામાં આવી હતી અને અંતે આર્યન ખાન જેલની બહાર આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પરિવારથી જોડાયેલા એક મિત્રએ જણાવ્યું કે, શાહરૂખને સલમાન, અક્ષય, સુનીલ દરેકે કોલ કર્યો હતો. ગૌરીને પણ પોતાની મિત્ર મહીપ કપૂર અને સીમા ખાને કોલ કર્યો હતો. જ્યારે તેને જામીન મળવાના સમાચાર મળ્યા તો ગૌરી જમીન પર ફસડાઇ પડી હતી. ગોઠણ પર બેસીને બે હાથ જોડીને પ્રાર્થના કરતી જોવા મળી હતી. તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી. સુહાના ખાને પણ આર્યનના UK USના મિત્રોને ફોન કરીને તેમના સપોર્ટ માટે આભાર માન્યો હતો



Next Story