ચહેરા પરના ડાર્ક સર્કલ દૂર કરશે આ ઘરેલુ ઉપચાર..... ચહેરો થઈ જશે એકદમ સુંદર....

ડાર્ક સર્કલને દૂર કરવા ખૂબ જ જરૂરી છે. તો ડાર્ક સર્કલને દૂર કરવા માટે આ ઘરેલુ ઉપચાર બેસ્ટ છે.

New Update

અનેક લોકોને ચહેરા પર આંખની નીચે કાળા કુંડાળા જોવા મળે છે અને તેથી તેમનો ચહેરો ખૂબ જ ખરાબ લાગે છે. આ માટે ડાર્ક સર્કલને દૂર કરવા ખૂબ જ જરૂરી છે. તો ડાર્ક સર્કલને દૂર કરવા માટે આ ઘરેલુ ઉપચાર બેસ્ટ છે. આ માટે તમારે કોઈ બહારથી પ્રોડેકટ લાવીને તેનો ઉપયોગ કરવાનો નથી પરંતુ ઘરે જ તમને આ ડાર્ક સર્કલ દૂર કરવા માટેની વસ્તુ મળી રહે છે. આ ઉપચારથી કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી, તો ચાલો જાણીએ આ ઉપાયો વિષે....

1. હળદર અને મધ

આંખની નીચે ડાર્ક સર્કલ દૂર કરવા માટે તમે મધ અને હળદરનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક ચમચી મધ લો. ત્યાર બાદ આ બંને વસ્તુઓને મિક્સ કરો અને ચહેરા પરના ડાર્ક સર્કલ પર લગાવો. હવે તેને 20 મિનિટ સુધી તેમ જ રહેવા દો. આ ઉપાય તમે રેગ્યુલર કરશો તો સ્કીન મસ્ત થઈ જશે.

2. મુલતાની માટી

આંખોની નીચેના કાળા કુંડાળાં દૂર કરવા માટે તમે મુલતાની માટી લગાવી શકો છો. આ માટે તમે 2 ચમચી મુલતાની માટી લો અને તેમાં જરૂર મુજબ ગુલાબ જળ નાખો. ત્યાર બાદ આ પેસ્ટ ચહેરા પર લગાવો. આ માટી જ્યારે ચહેરા પર લગાવ્યા પછી સુકાઈ જાય ત્યાર બાદ ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી ફેશ મસ્ત બને છે અને ડાર્ક સર્કલ પણ દૂર થઈ જશે.

3. એલોવેરા જેલ

ચહેરા પર ચશ્માના નિશાન દૂર કરવા માટે તમે એલોવેરા જેલની મદદથી લઈ શકો છો. આ માટે કોટન બોલમાં એલોવેરા જેલ લો અને દરરોજ રાતે સૂતા પહેલા તેને ચહેરા પર લગાવો. પછી થોડી વાર હળવા હાથે માલીસ કરો અને સવારે ચહેરો ધોઈ નાખો.

4. કેળા

કેળાની મદદથી પણ તમે ડાર્ક સર્કલને રિમૂવ કરી શકો છો. આ માટે એક કેળુ લો અને મિક્સરમાં મેશ કરી લો. પછી આ મેશ કરેલા કેળાને ડાર્ક સર્કલની આસપાસ લગાવો. 20 થી 25 મિનિટ પછી ચહેરો ચોખ્ખા પાણીથી ધોઇ લો.  

Read the Next Article

સરસવ કે આમળા... વાળ માટે કયું તેલ વધુ ફાયદાકારક છે?

વાળને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે, મોટાભાગના લોકો નાળિયેર કે સરસવ અને આમળા તેલનો ઉપયોગ કરે છે. આ બંને તેલ વાળ માટે અલગ અલગ રીતે ફાયદાકારક છે

New Update
Hair Oil

વાળને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે, મોટાભાગના લોકો નાળિયેર કે સરસવ અને આમળા તેલનો ઉપયોગ કરે છે. આ બંને તેલ વાળ માટે અલગ અલગ રીતે ફાયદાકારક છે. ચાલો જાણીએ કે આ બેમાંથી કયું તેલ તમારા માટે વધુ સારું રહેશે.

sarso oil

સરસવના તેલમાં વિટામિન ઇ, એન્ટીઑકિસડન્ટ્સ, ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ જેવા પોષક તત્વો હોય છે. આ વાળ માટે ખૂબ ફાયદાકારક છે. સરસવનું તેલ વાળને મજબૂત અને કાળા બનાવવામાં, વાળના વિકાસમાં અને ખોડો ઘટાડવામાં મદદ કરે છે.આમળામાં વિટામિન સી અને ઘણા પોષક તત્વો હોય છે, જે ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે. વાળ પર આમળાનું તેલ લગાવવાથી વાળ કાળા અને મજબૂત બને છે, વાળનો વિકાસ થાય છે અને ખોડો ઓછો થાય છે.

amla oil

સરસવ અને આમળા બંને તેલ વાળ માટે ખૂબ ફાયદાકારક છે. સરસવનું તેલ વાળને ભેજ આપે છે, રક્ત પરિભ્રમણ સુધારે છે અને વાળને સુકાતા અટકાવે છે. આમળાનું તેલ ખોપરી ઉપરની ચામડીને ઠંડુ કરવામાં, વૃદ્ધિ માટે અને તેમને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તમે તેનો ઉપયોગ તમારી પસંદગી મુજબ કરી શકો છો.
આ બંને તેલનો મિશ્રણમાં પણ ઉપયોગ કરી શકાય છે. 2 ચમચી સરસવનું તેલ અને 1 ચમચી આમળાનું તેલ મિક્સ કરીને વાળમાં લગાવો. આનાથી વાળ ખરતા અટકાવવામાં, તેમને કાળા કરવામાં અને ખોડો ઓછો કરવામાં મદદ મળી શકે છે.

Latest Stories