Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આજે કોરોનાના 632 નવા કેસ નોધાયા, 384 દર્દીઓએ આપી કોરોનાના મ્હાત

રાજ્યમાં આજે વધુ નવા 632 કેસ નોંધાયા છે. આજે 384 લોકોએ કોરોનાને મ્હાત આપી

રાજ્યમાં આજે કોરોનાના 632 નવા કેસ નોધાયા, 384 દર્દીઓએ આપી કોરોનાના મ્હાત
X

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે વધુ નવા 632 કેસ નોંધાયા છે. આજે 384 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 12,18,426 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.85 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્યમાં આજે કુલ 48,047 રસીના ડોઝ અપાયા હતા.

રાજ્યમાં આજે નોંધાયેલા 632 કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 258, સુરત કોર્પોરેશન 85, વડોદરા કોર્પોરેશન 42, વલસાડ 33, ગાંધીનગર કોર્પોરેશન 32, મહેસાણા 30, નવસારી 18 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 384 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,18,426 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 3289 થયા છે. જેમાં 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક મૃત્યુ થયાના સમાચાર છે. વલસાડમાં એક મૃત્યું થયું છે.

Next Story