ભરૂચ : જય અંબે વિદ્યાલય ખાતે 17મીના રોજ પત્રકારો માટે પ્રાથમિક ચિકિત્સા અંગે તાલીમ શિબિર યોજાશે

New Update

ભારત વિકાસ પરિષદની ભરૂચ શાખા, અંકલેશ્વરના પ્રોલાઇફ ફાઉન્ડેશન તથા ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુકત ઉપક્રમે તારીખ 17મી જુનના રોજ પ્રાથમિક ચિકિત્સા અંગે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

સાંપ્રત સમયમાં કોરોનાની મહામારી ફેલાયેલી છે ત્યારે આરોગ્યલક્ષી સુવિધાઓ પર વિશેષ ભાર મુકવામાં આવી રહયો છે. કોરોના કાળમાં લોકોને પ્રાથમિક ચિકિત્સા અંગે તાલીમ આપવાના હેતુસર ભારત વિકાસ પરિષદની ભરૂચ શાખા, અંકલેશ્વરના પ્રોલાઇફ ફાઉન્ડેશન તથા ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુકત ઉપક્રમે તારીખ 17મી જુનના રોજ એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

તાલીમ શિબિરનું સ્થળ ભોલાવ વિસ્તારમાં આવેલી જય અંબે વિદ્યાલય ખાતે રાખવામાં આવ્યું છે. જ્યારે કોઈ પણ ઘટના બને છે ત્યારે સ્થળ પર સૌથી પહેલા પોલીસ અને પત્રકારો પહોંચે છે ત્યારે પ્રથમ તબક્કામાં પત્રકારો માટે આ વિશેષ તાલીમ શિબિર યોજાશે ત્યાર બાદ આગામી સમયમાં પોલીસકર્મીઓ માટે પણ આ પ્રકારની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવશે. કોરોનાની ગાઈડ લાઇન પ્રમાણે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં શિબિરના અંતે હાજર પત્રકાર મિત્રોને ઇમ્યુનિટી બુસ્ટર કીટ આપવામાં આવશે તેમજ શિબિરના સ્થળે બપોરના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે 10 વાગ્યાથી શિબિરનો પ્રારંભ કરવામાં આવશે.

Read the Next Article

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના, ટાટા ગ્રુપ બાદ હવે AIR INDIAએ પણ સહાય આપવાની કરી જાહેરાત

અમદાવાદમાં જૂન 12 ના રોજ થયેલી દુ:ખદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે ટાટા ગ્રુપ દ્વારા વળતરની જાહેરાત કરાયા બાદ હવે AIR INDIA એ પણ સહાય આપવાની જાહેરાત કરી છે.

New Update
Air India Pilot

અમદાવાદમાં જૂન 12 ના રોજ થયેલી દુ:ખદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે ટાટા ગ્રુપ દ્વારા વળતરની જાહેરાત કરાયા બાદ હવે AIR INDIA એ પણ સહાય આપવાની જાહેરાત કરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો અને ઘાયલોને ₹25 લાખ (અંદાજે 21,000 GBP) ની વચગાળાની રકમ આપવામાં આવશે.

અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ  થયેલા આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી 241 લોકોના દુર્ખદ અવસાન થયા હતા. આ વિમાન એક હોસ્પિટલના હોસ્ટેલ  પર પડ્યું હતું, જેના કારણે ત્યાં રહેતા ઘણા લોકો મૃત્યુ પામ્યા અને ઘણા ઘાયલ થયા.

AIR INDIA એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં વળતરની જાહેરાત કરતા જણાવ્યું કે, "તાજેતરના અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારો સાથે એર ઇન્ડિયા એકતામાં ઉભી છે. આ અવિશ્વસનીય મુશ્કેલ સમયમાં સંભાળ અને સહાય પૂરી પાડવા માટે અમારી ટીમો તમામ પ્રયાસો કરી રહી છે."

AIR INDIA એ તેની પોસ્ટમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "અમારા સતત પ્રયાસોના ભાગ રૂપે, એર ઇન્ડિયા (Air India) તાત્કાલિક નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે મૃતકો અને બચી ગયેલા લોકોના પરિવારોને ₹25 લાખ અથવા આશરે 21,000 GBP ની વચગાળાની ચુકવણી (Interim Payment) કરશે."

મહત્વપૂર્ણ છે કે, આ સહાય ટાટા સન્સ દ્વારા પહેલાથી જ જાહેર કરાયેલ ₹1 કરોડ અથવા આશરે 85,000 GBP સહાય ઉપરાંત છે. AIR INDIA એ વધુમાં જણાવ્યું કે આ અકસ્માત પછી થયેલા નુકસાનથી તેઓ બધા દુઃખી છે.

ટાટા ગ્રુપે આ દુર્ઘટના અંગે અગાઉ જ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, "આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ટાટા ગ્રુપ  ₹1 કરોડનું વળતર આપશે. અમે ઘાયલોના તબીબી ખર્ચનો પણ ભોગ લઈશું અને ખાતરી કરીશું કે તેમને જરૂરી તમામ સંભાળ અને સહાય મળે. વધુમાં, અમે બી.જે. મેડિકલ ના હોસ્ટેલના  નિર્માણમાં સહાય પૂરી પાડીશું. આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઉભા છીએ."