અંકલેશ્વર : અંદાડામાં મુખ્ય રસ્તાને નડતરરૂપ લારી-ગલ્લાનાં દબાણો દૂર કરતું તંત્ર,PWD,ગ્રામ પંચાયત અને સિંચાઈ વિભાગ દ્વારા કાર્યવાહી

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે મુખ્ય માર્ગ અને ગામ તળાવને નડતરરૂપ દબાણોને પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.PWD,ગ્રામ પંચાયત

New Update

અંદાડામાં દબાણો કરાયા દુર 

13થી વધુ લારી-ગલ્લા અને નડતર દૂર કરાયા

PWD,ગ્રા.પં અને સિંચાઇ વિભાગની કાર્યવાહી

જાહેર રસ્તા અને ગામ તળાવ પાસે કરાયુ હતું દબાણ

પોલીસ બંદોબસ્ત સાથે દબાણો કરાયા દુર 

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે મુખ્ય માર્ગ અને ગામ તળાવને નડતરરૂપ દબાણોને પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.PWD,ગ્રામ પંચાયત અને સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

 અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે PWD, ગ્રામ પંચાયતતાલુકા પંચાયત અને સિંચાઇ વિભાગના સંયુક્ત પ્રયાસોથી દબાણ હટાવવાની વિશાળ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જાહેર માર્ગો અને ગામ તળાવ નજીક થયેલા નડતરરૂપ દબાણોને દૂર કરીને વાહનવ્યવહાર અને ગ્રામીણ વિકાસના માર્ગ મોકળા કરવામાં આવ્યા છે.અધિકારીએ માહિતી આપી કે ગામના રસ્તા અને તળાવની સીમામાં થયેલા દબાણો સામે ત્રણ વખત નોટિસો પાઠવી ચેતવણી આપવામાં આવી હતી. છતાં દબાણો નહીં ખસેડવામાં આવતા તંત્રએ કડક કાર્યવાહી અમલમાં મૂકી હતી.

દબાણ હટાવતી વખતે કોઈ અશાંતિ ન ફેલાય તે માટે પોલીસનો પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુલેહ અને શાંતિના માહોલમાં સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. તંત્રએ  13થી વધુ લારી-ગલ્લા તેમજ અન્ય નડતરરૂપ માળખાને દૂર કરવામાં આવ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.