ભરૂચ: શનિજયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી, ધાર્મિક કાર્યક્રમો યોજાયા

ભરૂચ દાંડિયા બજાર શનિ મંદિર ખાતે શનિદેવ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શનિ યાગ, મહા આરતી અને 1000 લિટરથી વધુ લસ્સીનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

શનિજયંતિની ઉજવણી

દાંડિયા બજાર વિસ્તારમાં આવેલું છે મંદિર

વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કરાયુ આયોજન

ભક્તોને 1 હજાર લીટર લસ્સીનું કરાયુ વિતરણ

ભરૂચ દાંડિયા બજાર શનિ મંદિર ખાતે શનિદેવ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શનિ યાગ, મહા આરતી અને 1000 લિટરથી વધુ લસ્સીનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
વૈશાખ વદ અમાસ તથા સોમવતી અમાસના પાવન યોગે ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત શનિ મંદિર ખાતે ભગવાન શ્રી શનિદેવના જન્મોત્સવની ધામધૂમભેર ઉજવણી કરવામાં આવી. શનિદેવના જન્મદિવસ નિમિત્તે મંદિર પરિસરમાં શનિ યાગ, મહા આરતી સહિતના  ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી શ્રદ્ધા ભક્તિપૂર્વક દર્શન-પૂજન કર્યા.ભક્તો માટે પ્રસાદરૂપે 1000 લિટરથી પણ વધુ લસ્સીનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું