ભરૂચ: રેલવે કોલોનીમાં દંપત્તી અને પુત્રના મોત માટે જવાબદાર આરોપી ઝડપાયો

ગુજરાત|Featured|સમાચાર,ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય જતીન મકવાણાની પત્ની તૃપલે રેલવે કોલોની સ્થિત કવાર્ટરમાં પંખા સાથે ગળેફાંસો લગાવી કર્યો આપઘાત

author-image
By Connect Gujarat Desk
New Update
ભરૂચની રેલવે કોલોનીમાં બની હતી ઘટના
પત્નીના આપઘાત બાદ પતિએ પુત્રની કરી હતી હત્યા
પતિએ પણ ટ્રેન નીચે પડતું મૂકી કર્યો હતો આપઘાત
પોલીસે આરોપીની કરી ધરપકડ
આત્મહત્યા માટે દુષપ્રેરણા આપનાર આરોપીની ધરપકડ
ભરૂચમાં એક રેલવે અધિકારી અને તેનાં પત્નીની આત્મહત્યાની ઘટના સામે આવી હતી. પત્નીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અધિકારીએ તેના 10 વર્ષના પુત્રનું ગળું દબાવી હત્યા કરી જાતે પણ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેવાના મામલામાં પોલીસે આત્મહત્યા માટે દુષપ્રેરણા આપનાર રાજા શેખ નામના ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય જતીન મકવાણાની પત્ની તૃપલે રેલવે કોલોની સ્થિત કવાર્ટરમાં પંખા સાથે ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. ત્યાર બાદ જતીને તેના 10 વર્ષીય પુત્ર વિહાનનું પલંગ પર ગળું દબાવી હત્યા કરી હતી અને પોતે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસ ફરિયાદમાં પરિવારના આપઘાત પાછળ રાજા શેખ નામનો ઈસમ કારણભૂત હોવાનું દર્શાવવામાં આવ્યું હતું જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને બે મહિના બાદ આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે.ઝડપાયેલ આરોપી રાજા શેખ જતીન મકવાણાની પત્ની રૂપલનું શોષણ કરી માનસિક ત્રાસ આપતો હતો જે સહન ન થતા ત્રુપલે આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ જતીને તેના પુત્રની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી રાજા શેખ વિવિધ જિમમાં ટ્રેનર તરીકે કામ કરે છે અને અહીં ટ્રેનિંગ અર્થે આવતી યુવતીઓ સાથે મિત્રતા કેળવી તેઓનું માનસિક અને શારીરિક શોષણ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ત્યારે પોલીસે આરોપીની આત્મહત્યા માટે  દુષપ્રેરણા આપવાના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Read the Next Article

અંકલેશ્વર: હાંસોટ પંથકમાં નવા વર્ષે કમોસમી વરસાદ, ખેડૂતોએ રસ્તા પર સુકવેલ ડાંગર પલળી ગયુ !

ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

New Update
Screenshot_2025-10-22-15-57-15-21_92460851df6f172a4592fca41cc2d2e6
ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.અચાનક પડેલા આ વરસાદથી રસ્તાઓ પર સૂકવવા મુકાયેલ ડાંગર પલળી જવાથી ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી.
Advertisment
1/38

ખેડૂતોએ રસ્તા પર સુકવેલ ડાંગર પલળી ગયુ 

પાછલા દિવસોના વરસાદના કારણે ખેતરો પૂરતા સુકાયા ન હોવાથી ખેડૂતોએ ડાંગર રસ્તા પર સૂકવવા માટે મૂકી દીધું હતું પરંતુ અચાનક પડેલા વરસાદથી તે ડાંગર ભીનું થઈ ગયું, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વરસાદ શરૂ થતાં જ ખેડૂતો પોતાના પાકને બચાવવા દોડધામમાં લાગી ગયા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે પાછોતરા વરસાદ બાદ હવામાન ખુલ્લું રહે તેમ લાગતું હતું, પરંતુ અચાનક પડેલા આ કમોસમી વરસાદે આખી મહેનત પર પાણી ફેરવી દીધું છે.