છોટાઉદેપુર : જિલ્લા વિકાસ અધિકારીને જીપ છોડી પગપાળા જવું પડયું, જુઓ શું છે કારણ

ગુજરાતને વિકાસ મોડલ તરીકે રજુ કરવામાં આવે છે પણ છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારીને ખરાબ રસ્તાનો કડવો અનુભવ થયો છે.

New Update

ગુજરાતને વિકાસ મોડલ તરીકે રજુ કરવામાં આવે છે પણ છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારીને ખરાબ રસ્તાનો કડવો અનુભવ થયો છે. ખરાબ રસ્તાને કારણે ગામ સુધી જીપ ન પહોંચી શકતાં જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ કલેકટરને પગપાળા જવાની ફરજ પડી હતી..

ગુજરાતના કેટલાય અંતરિયાળ ગામડાઓ હજી પાકા રસ્તાઓથી જોડાયાં નથી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીની વાત કરવામાં આવે તો સાંકડીબારી, ગનીયાબારી સહિતના અનેક ગામડાઓએ હજી વિકાસ જોયો નથી. આ ગામડાઓના લોકો વર્ષોથી કાચા રસ્તાઓ કે પગદંડી પરથી અવરજવર કરતાં હોય છે. પાકા રસ્તાઓના અભાવે ખાસ કરીને ચોમાસામાં લોકોની હાલત કફોડી બની જાય છે. સરકાર ભલે સૌનો સાથ, સૌના વિકાસની વાત કરતી હોય પણ આ ગામડાઓના લોકો વિકાસથી વંચિત રહી ગયાં છે. તેમના નસીબમાં જાણે હાલાકીઓ જ લખી હોય તેમ લાગી રહયું છે. સરકાર આદિવાસી સમાજ પ્રત્યે અસંવેદનશીલ હોય તેમ લાગી રહયું છે.

સ્થાનિક આદિવાસીઓ કેટલી હાલાકી ભોગવી રહયાં છે તેનો જાત અનુભવ છોટાઉદેપુરના ડીડીઓ તથા નાયબ કલેકટરને થયો છે. વાત એમ બની કે, ડીડીઓ ગંગાસિંઘ અને નાયબ કલેકટર સાંકડીબારી તથા આજુબાજુના ગામોમાં ચાલી રહેલાં રસીકરણ અભિયાનની કામગીરી જોવા માટે નીકળ્યાં હતાં. છોટાઉદેપુરથી તેઓ સરકારી જીપમાં રવાના થયાં હતાં પણ તેઓ જયારે ડુંગર વિસ્તારમાં પ્રવેશ્યા ત્યારે રસ્તાઓ ઉબડખાબડ હતાં. તેમણે સરકારી જીપને મુખ્ય રસ્તા પર મુકી ખાનગી જીપમાં સાંકડીબારી જવા માટે નીકળ્યાં પણ તેમની ખાનગી જીપ પણ બે વખત ખાડામાં ફસાઇ ગઇ હતી. રસ્તાઓ પર વાહનો ચાલી શકે તેવી સ્થિતિ નહિ હોવાથી આખરે બંને ઉચ્ચ અધિકારીઓએ પગપાળા જ ગામમાં પહોંચવાનું નકકી કર્યું હતું. તો હવે જોઇએ છોટાઉદેપુરના ડીડીઓ ગંગાસિંઘ શું કહી રહયાં છે.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.