રાજ્યમાં આતંકી હુમલાની આશંકા ACS વ્યક્ત કરી ચિંતા, પોલીસ સતર્ક બની

મહંમદ પયગંબર વિરુદ્ધ કરાયેલ ટિપ્પણી મામલે દુનિયાના ટોચના આતંકી સંગઠન અલ કાયદાએ ગુજરાત સહિત અનેક પ્રાંતમાં આત્મઘાતી હુમલાની ચીમકી આપી છે.

New Update

મહંમદ પયગંબર વિરુદ્ધ કરાયેલ ટિપ્પણી મામલે દુનિયાના ટોચના આતંકી સંગઠન અલ કાયદાએ ગુજરાત સહિત અનેક પ્રાંતમાં આત્મઘાતી હુમલાની ચીમકી આપી છે. જેને પગલે ગુજરાત પોલીસ તંત્ર સાબદું બન્યું છે. ત્યારે આ મામલે ગૃહ વિભાગના ACS રાજકુમારે મોટું નિવેદન આપતા જણાવ્યું કે ગુજરાતમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisment

આતંકી સંગઠન અલ કાયદા દ્વારા આતંકી હુમલાના મેસેજ બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી તરફ રાજ્યમાં શાંતિ ન ડહોળાઈ તે માટે પોલીસ સતર્ક બની છે. ACS એ નિવેદન આપતા જણાવ્યું કે પોલીસ વિભાગને એલર્ટ કરવામાં આવ્યા છે. એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડની મદદથી સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તમામ પ્રકારના સાવચેતીના પગલા ગુજરાત પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે, અલકાયદા દ્વારા ગઇકાલે એક લેટર લખીને ગુજરાત, યુપી, મુંબઈ અને દિલ્હી માં મોટાપાયે આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપવામાં આવી છે.રાજ્યના અમદાવાદ સહિતના મોટા શહેરોમાં સુરક્ષા વધારવામાં આવી છે તો રાજ્યની સરહદો પર પણ પોલીસ સતર્ક બની છે ગુજરાત અને રાજસ્થાન જોડતી બોર્ડર પર અરવલ્લી પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

Advertisment