રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 282 પોઝિટિવ કેસ નોંધાયા, 352 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 282 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યાં જ કોરોનાથી આજે 352 દર્દીઓ સાજા થયા

New Update

ગુજરાતમાં સતત કોરોનાવાયરસના કેસમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 282 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યાં જ કોરોનાથી આજે 352 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.98 ટકાએ પહોંચી ગયો છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 11,001 પર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં કોરાનાથી આજે એક દર્દીનું મોત નિપજ્યું છે.

Advertisment W3.CSS

રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 78, વડોદરા કોર્પોરેશન 21, સુરત કોર્પોરેશન 17, સુરત 15, રાજકોટ કોર્પોરેશન 13, વલસાડ 13, પંચમહાલ 11, ગાંધીનગર કોર્પોરેશન 10, રાજકોટ 10, ભરૂચ 9, બનાસકાંઠા 8, વડોદરા 8, આણંદ 6, અરવલ્લી 6, જામનગર કોર્પોરેશન 6, કચ્છ 6, નવસારી 6, જામનગર 5, ખેડા 5, અમરેલી 4, છોટા ઉદેપુર 4, દેવભૂમિ દ્વારકા 4, તાપી 3, અમદાવાદ 2, ગાધીનગર 2, ગીર સોમનાથ 2, મહીસાગર 2, મોરબી 2, સાબરકાંઠા 2, ભાવનગર કોર્પોરેશન 1, મહેસાણા 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 1894 એક્ટીવ કેસ છે જે પૈકી 15 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 1879 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,55,937 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 11,001 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,44,944 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 12,22,79,432 લોકોનું રસીકરણ થયું છે.