રાજ્યમાં આજે કોરોનાના 28 નવા કેસ નોધાયા, 37 દર્દીઑ થયા સાજા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28 નવા કેસ નોંધાયા છે અને 37 દર્દી સાજા થયા છે. આજે અમદાવાદ શહેરમાં 13 નવા કેસ નોંધાયા છે.
BY Connect Gujarat Desk17 May 2022 4:01 PM GMT
X
Connect Gujarat Desk17 May 2022 4:03 PM GMT
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28 નવા કેસ નોંધાયા છે અને 37 દર્દી સાજા થયા છે. આજે અમદાવાદ શહેરમાં 13 નવા કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 8, ગાંધીનગર શહેર અને જિલ્લામાં 2-2, જામનગર, રાજકોટ શહેર અને સુરત શહેર 1-1-1 એમ રાજ્યમાં કુલ 37 કેસ નોંધાયા છે. તો આજે 31 જિલ્લા અને 3 શહેરમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.09 ટકા પર સ્થિર રહ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 755ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 944 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 13 હજાર 625 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 213 એક્ટિવ કેસ છે, 2 દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 211 દર્દીઓની હાલત સ્થિર છે.
Next Story