જામનગર : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સિદસર સ્થિત ઉમિયા માતાના મંદિરે શિશ ઝુકાવ્યું...
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદસર ખાતે ઉમિયા માતાના મંદિરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દર્શન માટે આવી પહોચ્યા હતા
BY Connect Gujarat3 April 2022 7:14 AM GMT
X
Connect Gujarat3 April 2022 7:14 AM GMT
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદસર ખાતે ઉમિયા માતાના મંદિરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દર્શન માટે આવી પહોચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીએ ઉમિયા માતાના ચરણોમાં શિશ ઝુકાવી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સિદસર ખાતે ઉમિયા માતાજી મંદિર ઉમિયા માતાના ચરણોમાં શિશ નમાવી વંદન કર્યા હતા. ઉમિયા માતાજીના મંદિરના રજત જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહ તથા નવનિર્મિત ઉમિયાધામના લોકાર્પણ સમારોહમાં સહભાગી થવા ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ માતાજીના આશિષ મેળવ્યા હતા. મુખ્યમંત્રી સાથે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા પણ વિશેષ હાજર રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રી તથા રાજ્ય મંત્રીનું સિદસર મંદિર ટ્રસ્ટીઓ, મહાનુભાવો તથા આગેવાનોએ સન્માન કર્યું હતું.
Next Story