મહેસાણા જિલ્લામાં આવેલા સતલાસણા તાલુકાના તખતપુરા ગામ ખાતે ખેડૂતની હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂતે મજૂરને ખેતરમાં પડેલા ઘઉં ભેગા કરવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા મજુરે કુહાડીના ઘા માર્યા હતા તે દરમિયાન ખેડૂતનો પુત્ર ખેતરમાં સમગ્ર ઘટના જોતા પિતાને છોડાવવા ગયો જ્યાં તેણે પણ મારી નાખવાની ધમકી આપ્યા બાદ બે હત્યારાઓ ભેગા મળી ખેડૂતની લાશને કુવામાં ફેંકી ફરાર થઇ ગયા હતા. ઘબરાઈ ગયેલા પુત્રએ પોતાના કુટુંબીજનોને ફોન કરી ઘટનાની જાણ કરતા ગામના લોકો ખેતરમાં દોડી આવ્યા હતા. તેમજ કૂવામાં ફેંકી દીધેલ ખેડૂતને બહાર કાઢવામાં આવ્યા તે દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ સતલાસણા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
મહેસાણા : ખેડૂતે ઘઉં ભેગા કરવાનું કહેતા મજૂરે ઉશ્કેરાઈને કુહાડીના ઘા માર્યા, ખેડૂતને લોહીલુહાણ હાલતમાં જ કૂવામાં નાખી ફરાર
New Update