કાયદામંત્રી રવિશંકરના નિશાના પર ટ્વિટર; કહ્યું - ફ્રી સ્પીચના નામે કાયદાનું પાલન ટાળી નહીં શકો

New Update

 નિયમોનું પાલન ન કરવા બદલ ભારત સરકાર અને ટ્વિટર વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. ગાઝિયાબાદ મામલો જોર પકડવાની સાથે હવે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્વિટરને આડે હાથ લેવાય છે. કડક વલણ અપનાવીને ટ્વિટર વિરુદ્ધ અનેક ટ્વીટ્સ કરી છે. પ્રસાદે કહ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કાયદાને ટાળી શકાય નહીં.પ્સાદે સતત અનેક પોસ્ટ્સ કરી, જેમાં તેમણે કહ્યું હતું કે 'જો કોઈ વિદેશી સંસ્થાને લાગે કે તે ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાના ધ્વજવાહક બનીને કાયદાના પાલનથી પોતાને બચાવે, તો આવા પ્રયાસો વ્યર્થ છે.'

તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે સત્ય એ છે કે ટ્વિટર 26મી મેથી અમલમાં આવતા મધ્યસ્થી દિશાનિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ ગયું છે. ટ્વિટરને ઘણી તકો આપવામાં આવી હતી પરંતુ તેણે નવા કાયદાનું પાલન ન કરવાનું પસંદ કર્યું. પ્રસાદે વધુમાં કહ્યું કે ગાઝિયાબાદમાં જે બન્યું તે પછી આશ્ચર્યજનક વાત છે કે ટ્વિટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી. આ બતાવે છે કે ફેક ન્યૂઝ સાથેની તેની લડતમાં અસ્થિરતા છે.

Read the Next Article

સાપુતારા: ચેઈન ચોરી કરનાર 2 આરોપીને સીસીટીવીના આધારે ઝડપી પાડતી પોલીસ

સાપુતારા સ્વાગત સર્કલ પાસે બે અજાણ્યા બાઈક ચાલકો જન્માષ્ટમીના દિવસે સુરતના પરિવારને વાતમાં નાખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા.

New Update
Saputara Police

ડાંગના સાપુતારા ખાતે જન્માષ્ટમીના દિવસે સુરતના એક પરિવારની ચેઈન સ્નેચિંગની ઘટના બની હતી. ગીરીમથક સાપુતારા ખાતે ટૂંકા વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ધસારો જોતા જન્માષ્ટમીને દિવસે સુરતનો એક પરિવાર સાપુતારા ખાતે ફરવા આવ્યો હતો. સાપુતારા સ્વાગત સર્કલ પાસે બે અજાણ્યા બાઈક ચાલકો સુરતના પરિવારને વાતમાં નાખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા.

ભોગ બનનારા સુરતના પરિવારના રાજેશ કથીરિયાએ સાપુતારા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી સાપુતારા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તાત્કાલિક અસરથી જિલ્લામાં નાકાબંધી કરી હતી. પોલીસે સીસીટીવી તેમજ એન્ટી હુમન સોર્સના માધ્યમથી ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીની કડક સઘન પૂછપરછ કરવામાં આવતા બંને આરોપીઓએ ગુનાની કબુલાત કરી હતી.સાપુતારા પોલીસે 1.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આ બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા.