સુરેન્દ્રનગર : રાજસ્થાન લગ્નપ્રસંગે જતાં રાજકોટના યુવાનોની કારનો બસ સાથે અકસ્માત સર્જાયો, 5 લોકોના મોત

ઇકો કારનો ખાનગી લકઝરી બસ સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા

New Update

રાજકોટના યુવાનો રાજસ્થાન ખાતે લગ્નપ્રસંગમાં હાજરી આપવા જતાં હતા તે દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કટારીયા ગામ નજીક તેઓની ઇકો કારનો ખાનગી લકઝરી બસ સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ એકનું મોત નીપજયું

લીંબડી-અમદાવાદ હાઇવે પર અવારનવાર ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. જેમાં પુરઝડપે દોડતા વાહનચાલકો સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કે, રાત્રીના અંધારામાં ઓવર ટેક કરવામાં સર્જાતા અકસ્માતની ઘટનામાં અનેક નિર્દોષ લોકોના જીવ હોમાઇ જાય છે, ત્યારે લીંબડી-અમદાવાદ હાઇવે સર્જાયેલી અકસ્માતની ઘટનામાં રાજકોટ યુવાનો રાજસ્થાન ખાતે લગ્નપ્રસંગે જતા હતા. લીંબડી તાલુકાના કટારીયા ગામ પાસે ઇકો કાર અને ખાનગી લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા

આ અકસ્માતની ઘટનામાં અન્ય 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. લીંબડી અમદાવાદ હાઇવે પર અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી જઇ બચાવ કાર્યમાં જોતરાયા હતા. બનાવની જાણ થતાં લીંબડી પોલીસ કાફલો પણ તાકીદે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ ગમખ્વાર અકસ્માતની ઘટનાથી લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો હતો.

Read the Next Article

ગુજરાત કોંગ્રેસે 40 જિલ્લાઓમાં નવા પ્રમુખોની જાહેરાત કરી, યાદી અહીં જુઓ કોને ક્યાંથી મળી જવાબદારી

ગુજરાત કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં પ્રમુખોનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે, પરંતુ એક અંદાજ મુજબ, લગભગ 50 ટકા આવા નામ છે. પ્રથમ વખત જિલ્લા/શહેર પ્રમુખની જવાબદારી મળી છે

author-image
By Connect Gujarat Desk
New Update
inc gujarat

કોંગ્રેસ પાર્ટીએ હવે ગુજરાતમાં તેના સંગઠનમાં ફેરફાર શરૂ કર્યો છે. સંગઠન નિર્માણ અભિયાનની કવાયત પછી, રાજ્યના નવા જિલ્લા અને શહેર પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ સોનલ પટેલને અમદાવાદ શહેર પ્રમુખ બનાવ્યા છે, જ્યારે વડોદરા શહેર અને જિલ્લામાં જૂના પ્રમુખોને જાળવી રાખવામાં આવ્યા છે. એકંદરે, પાર્ટીએ 40 જિલ્લા પ્રમુખોના નામ જાહેર કર્યા છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં પ્રમુખોનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે, પરંતુ એક અંદાજ મુજબ, લગભગ 50 ટકા આવા નામ છે. પ્રથમ વખત જિલ્લા/શહેર પ્રમુખની જવાબદારી મળી છે. સ્પષ્ટ છે કે પાર્ટી હવે જૂના અને નવા બંને કાર્યકરોને સાથે લેવાનો પ્રયાસ કરી રહી છે.

inc gujarat

કોંગ્રેસ આગામી થોડા દિવસોમાં આ અભિયાન હેઠળ અન્ય રાજ્યોમાં પણ જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરશે. આ અભિયાનમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) અને પ્રદેશ કોંગ્રેસ કમિટી (PCC) ના નિરીક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ છે.

કોને ક્યાંથી જવાબદારી મળી?

અમરેલી જીલ્લામાં પ્રતાપ દુધાત

આણંદમાં અલ્પેશ પઢિયાર

અરવલ્લીમાં અરનુભાઈ પટેલ

બનાસકાંઠા જિલ્લામાં ગુલાબસિંહ રાજપૂત

ભરૂચમાં રાજેન્દ્રસિંહ રાણા

પ્રવીણ રાઠોડ ભાવનગર ગ્રામ્યમાં

મનોહરસિંહ (લાલાભા) ભાવનગર શહેરમાં

બોટાદમાં હિંમતસિંહ કટારીયા

છોટાઉદેપુરમાં શશીકાંત રાઠવા

દાહોદમાં હર્ષભાઈ નિનામા

ડાંગમાં સ્નેહિલ ઠાકર

દેવભૂમિ દ્વારકામાં પાલભાઈ આંબલીયા

ગાંધીનગરમાં અરવિંદસિંહ સોલંકી

ગાંધીનગર શહેરમાં શક્તિ પટેલ

રાજકોટ શહેરમાં ડો.રાજદીપસિંહ જાડેજા, રાજકોટ ગ્રામ્યમાં હિતેશ વ્હોરા, સાબરકાંઠામાં રામભાઈ સોલંકી, સુરત ગ્રામ્યમાં આનંદ ચૌધરી, સુરત શહેરમાં વિપુલભાઈ ઉધનાવાલા, સુરેન્દ્રનગરમાં નૌશાદ સોલંકી, તાપીમાં વૈભવકુમાર ગામીત, વડોદરા શહેરમાં જસપાલસિંહ પઢિયાર અને વડોદરા શહેરમાં વલસાડમાં ડો. કિશનભાઈ પટેલને પ્રમુખ બનાવાયા છે.

ગીર સોમનાથમાં પુંજાભાઈ વંશ, જામનગર શહેરમાં વિરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે દિગ્ગુભાઈ, જામનગર ગ્રામ્યમાં મનોજ કથીરિયા, જૂનાગઢ શહેરમાં મનોજ જોષી, ખેડામાં કાલુસિંહ ડાભી, કચ્છમાં વી.કે.હુંબલ, મહીસાગરમાં હર્ષદ પટેલ, મહેસાણામાં બળદેવજી ઠાકોર, મોરબીમાં રણજીતસિંહ જાડેજા, તા.પં. નર્મદા, નવસારીમાં શૈલેષભાઈ પટેલ, પંચમહાલમાં ચેતનસિંહ પરમાર, પાટણમાં ઘેમરભાઈ પટેલ, પોરબંદરમાં રામભાઈ મારૂને પક્ષ પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી છે.

સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખે ગુજરાતમાં જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ (ડીસીસી) પ્રમુખોની નિમણૂકને તાત્કાલિક અસરથી મંજૂરી આપી છે. આ નિમણૂંકો સંગઠન સૃજન અભિયાન હેઠળ સઘન સંગઠનાત્મક કવાયતનું પરિણામ છે. બૂથથી જિલ્લા સ્તર સુધી પક્ષના માળખાને પુનર્જીવિત કરવા માટે શરૂ કરાયેલી ઝુંબેશ પારદર્શક, સમાવેશી અને વિચારધારા આધારિત નેતૃત્વ પસંદગી પર કેન્દ્રિત હતી.