સુરેન્દ્રનગર : કોંગ્રેસમાં ભૂકંપ, નેતાઓ સહિત 200 કાર્યકરો ભાજપમાં જોડાયા...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલાં યોજાવાની સંભાવના વચ્ચે રાજકીય ગતિવિધિઓ તેજ થવા પામી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલાં યોજાવાની સંભાવના વચ્ચે રાજકીય ગતિવિધિઓ તેજ થવા પામી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત યાત્રા પછી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજકીય આગેવાનો અને સક્રિય કાર્યકર પણ ચૂંટણીના એક્શન મોડમાં આવી ગયા છે.
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ આગેવાન અને ડિસ્ટ્રિક્ટ બેંકના પૂર્વ ચેરમેન તેમજ ક્ષત્રિય સમાજના અગ્રણી એવા જુવાનસિંહ પરમારના પુત્ર પ્રહલાદસિંહ પરમાર મોટી સંખ્યામાં ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસ આગેવાન અને ડિસ્ટ્રિક્ટ બેંકના પૂર્વ ચેરમેન તેમજ ક્ષત્રિય સમાજના અગ્રણી જુવાનસિંહ પરમારના પુત્ર પ્રહલાદસિંહ પરમાર આજે મોટી સંખ્યામાં ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં 200થી વધુ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં 200થી વધુ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા છે, જ્યારે વઢવાણ, મુળી, લખતર સહિતના તાલુકાઓમાંથી પણ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. મોટી સંખ્યામાં જિલ્લામાંથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.