વલસાડ : નાણાં મંત્રી કનુ દેસાઇના હસ્તે કવાલ ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું...

રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઇ અને રાજ્ય મંત્રી જીતુ ચૌધરીના હસ્તે ફેબ્રુઆરી માસમાં આ ભવન નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું હતું.

New Update

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કવાલ ગામમાં રૂ. ૧૪ લાખના ખર્ચે નિર્માણ કરાયેલા ગ્રામ પંચાયત ભવનનું નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઇના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે કલ્પસર અને મત્સ્ય ઉદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment

રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઇ અને રાજ્ય મંત્રી જીતુ ચૌધરીના હસ્તે ફેબ્રુઆરી માસમાં આ ભવન નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ગ્રામવાસીઓને અભિનંદન પાઠવતા મંત્રીએ જણાવ્યું હતુ કે, પહેલા ખાતમુહૂર્ત કર્યાના ૧ કે ૨ વર્ષ બાદ પણ કામો પુરા થતા નહોતા પરંતુ હવે વિકાસના કોઈ પણ કામ ખૂબ જ ઝડપથી થઈ જાય છે. આ ગ્રામ પંચાયત ભવન ગામના દરેક લોકોને ખૂબ જ ઉપયોગી થશે. ગામની મહિલાઓ ડેરી સંચાલન કરીને રોજગારી મેળવી રહી છે તેમના સહયોગથી ગામ સારી પ્રગતિ કરવા સક્ષમ બનશે. આદિજાતિ વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકારે પ્રથમ તબક્કામાં એક લાખ કરોડની ફાળવણી કરી છે, જેના થકી ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વિકાસના કામો થયા છે. રાજ્યમાં હવે વિકાસની ગાડી ખૂબ જ સ્પીડમાં ચાલે છે એમ જણાવતા મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ કહ્યું હતું કે, આ ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત અમે જ ફેબ્રુઆરી મહિનામાં કર્યું છે અને હવે આ ભવન માત્ર ૪ મહિના અને ૧૩ દિવસમાં બની ને તૈયાર થયું છે. આવી ઝડપી અને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ હું સરપંચ અને ગામના લોકોને અભિનંદન આપું છું. ગામના સરપંચ મનોજ પટેલે આ પ્રસંગે સહભાગી થવા બદલ બન્ને મંત્રીઓનો તેમજ રાજ્ય સરકારનો ઝડપી કામગીરી કરીને પંચાયત ભવન નિર્માણ કરી આપવા માટે આભાર માન્યો હતો.

Advertisment
Read the Next Article

હવામાન વિભાગે 3 દિવસ રાજ્યમાં છૂટછવાયા વરસાદની કરી આગાહી

ગુજરાતમાં હજુ સુધી ચોમાસાએ દસ્તક દીધી નથી,. તેથી હાલ તે વરસાદ  વરસી રહ્યો છે તે પ્રિમોનસૂન એક્ટિવિટી અને થન્ડરસ્ટ્રોર્મ એક્ટીવિટીના ભાગ

New Update
વરસાદ

ગુજરાતમાં હજુ સુધી ચોમાસાએ દસ્તક દીધી નથી,. તેથી હાલ તે વરસાદ  વરસી રહ્યો છે તે પ્રિમોનસૂન એક્ટિવિટી અને થન્ડરસ્ટ્રોર્મ એક્ટીવિટીના ભાગ રૂપે વરસી રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ 3 દિવસ રાજ્યમાં છૂટછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક મધ્યમથી ભારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે.

Advertisment

હવામાન વિભાગના અનુમાન મુજબ  રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઇ શકે છે. જેને પગલે ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખડેવા માટે સૂચના અપાઇ છે. તો આગામી સપ્તાહમાં ચોમાસાના આગમનની શક્યતા પણ છે.

28 મે અને 29 મે એટલે કે આજે અને કાલે રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી અપાઇ છે.  દક્ષિણ ગુજરાત સહિત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. છોટા ઉદેપુર, દાહોદ અને મહીસાગરમાં પણ છુટાછવાયા સ્થળોએ પણ વરસાદનું અનુમાન છે.સ

અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસી શકે છે.  તો રાજકોટ, વડોદરા સહિત મોટાભાગના શહેરમાં પણ છુટ્ટા છવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

Advertisment
Latest Stories