Connect Gujarat
આરોગ્ય 

નડિયાદ : ગળતેશ્વર ખાતે માતા મરણ અટકાવવા માટે અવેરનેસ શિબિરનું કરાયું આયોજન, અન્ન પ્રાસન દિવસની પણ કરવામાં આવી ઉજવણી

કુટુંબ નિયોજનની વિવિઘ બિન કાયમી, કાયમી પદ્ધતિઓ અપનાવવા, દીકરો-દીકરી એક સમાન ગણવા તથા સુવાવડ ફરજીયાત દવાખાનામાં જ કરાવવા પર ભાર મુક્યો

નડિયાદ : ગળતેશ્વર ખાતે માતા મરણ અટકાવવા માટે અવેરનેસ શિબિરનું કરાયું આયોજન, અન્ન પ્રાસન દિવસની પણ કરવામાં આવી ઉજવણી
X

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ગળતેશ્વર તાલુકાના મેનપૂરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પડાલ અને બળેવીયા ગામમાં માતા મરણ અટકાવવા અંગે જાગૃતી આવે તે માટે ગુરુશિબિરનું આયોજન હાથ ઘરવામાં આવ્યું હતું. આ શિબિર સાથે અન્ન પ્રાસન દિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી.

આ ગુરુશિબિરમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ .વી. એ. ધ્રુવેએ ઉપસ્થિત માતા, બહેનો અને જનસમુદાયને પ્રેરક માર્ગદર્શન આપતા જણાવ્યું કે માતામૃત્યુ અટકાવવા માટે યોગ્ય ઉંમરે જ લગ્ન કરવા, પૂરતો સમતોલ આહાર લેવો અને કિશોરીઓને વધુ શિક્ષીત કરવી પડશે. તેમણે કુટુંબ નિયોજનની વિવિઘ બિન કાયમી, કાયમી પદ્ધતિઓ અપનાવવા, દીકરો-દીકરી એક સમાન ગણવા તથા સુવાવડ ફરજીયાત દવાખાનામાં જ કરાવવા પર ભાર મુક્યો હતો. આ શિબિરમાં આઇસીડીએસ વિભાગમાંથી સીડીપીઓ તથા તાલુકા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો આરોગ્ય સ્ટાફ, આંગણવાડી બહેનો, કાર્યકર્તાઓ તથા ગામની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Next Story