દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ઘર પર હુમલો, ડેપ્યુટી સીએમે ભાજપને જવાબદાર ગણાવ્યું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ના ઘર પર હુમલો કર્યાના સમાચાર સામે આવ્યા છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા ટ્વિટ કરીને જણાવ્યું છે

New Update

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ના ઘર પર હુમલો કર્યાના સમાચાર સામે આવ્યા છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા ટ્વિટ કરીને જણાવ્યું છે કે, 'કેટલાક અસામાજિક તત્વોએ સીએમ કેજરીવાલ ન ઘર પર હુમલો કર્યો છે અને સીસીટીવી કેમેરા તેમજ સિક્યુરિટી બેરિયરને પણ તોડી નાંખ્યા છે. આ ઉપરાંત ગેટ પરના બૂમ બેરિયર પણ તૂટી ગયા છે.

Advertisment

મનીષ સિસોદિયા આરોપ લગાવ્યો છે કે, "અસામાજિક તત્વોએ અરવિંદ કેજરીવાલના ઘર પર તોડફોડ કરી છે". એટલું જ નહીં, તેમણે કહ્યું કે, 'ભાજપની પોલીસ તેમને રોકવાના બદલે તેમને દરવાજા સુધી લઇને આવી હતી.પોલીસના જણાવ્યાં અનુસાર, ભાજપ યુવા મોરચાના લગભગ 150થી 200 કાર્યક્રમ સવારે 11:30 વાગ્યે સીએમ આવાસની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ અંગે વિધાનસભામાં કેજરીવાલના નિવેદન સામે આ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. લગભગ 1 વાગ્યાની આસપાસ કેટલાક પ્રદર્શનકારીઓ બેરિકેડ તોડીને સીએમ આવાસની બહાર પહોંચી હતાં.

તેઓએ દરવાજા પર કલર ફેંક્યો અને અહીં લગાવેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાંખ્યા હતાં. જો કે, પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને 70 લોકોની અટકાયત કરી લીધી હતી. આ અંગે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, ભાજપના નેતાઓ અને કાર્યકરોએ સીએમ અરવિંદ કેજરીવાલ ના ઘર પર હુમલો કર્યો છે અને તોડફોડ કરી છે. વાસ્તવમાં ભાજપના કાર્યકરો અરવિંદ કેજરીવાલનો વિરોધ કરી રહ્યા હતાં. ભાજપનું કહેવું છે કે, અરવિંદ કેજરીવાલે કાશ્મીરી પંડિતોના નરસંહારની મજાક ઉડાવી છે.

Advertisment