New Update
આસામની રાજધાની ગુવાહાટીના વશિષ્ઠ વિસ્તારમાં બેનેલી અને ઇસુઝુના શોરૂમમાં આગ લાગી હતી. આગમાં મોટી સંખ્યામાં કાર અને મોટરસાઈકલ બળીને ખાખ થઈ ગઈ હતી. વાહનો અને અન્ય મિલકતો સહિત શોરૂમને રૂ.4-5 કરોડનું નુકસાન થયું હતું. શોરૂમના સેલ્સ મેનેજરના જણાવ્યા અનુસાર આગમાં ઓછામાં ઓછી રૂ. 1.5 કરોડની ઇસુઝુ કાર બળી ગઇ હતી જ્યારે રૂ. 6.7 લાખની કિંમતની બેનેલી મોટરસાઇકલ બળીને ખાખ થઇ હતી.