ગણતંત્ર દિવસ નિમિત્તે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. આતંકી હુમલાની ભીતિને પગલે IB એ પોલીસને નવ પાનાનો રિપોર્ટ સોંપ્યો છે ગણતંત્ર દિવસ અગાઉ કોઈ પણ પ્રકારના આતંકી ખતરાને પહોંચી વળવા માટે દિલ્હી પોલીસે તૈયારી કરી લીધી છે. રાજધાનીમાં 20 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી માનવ રહીત હવાઈ વાહનો પર પ્રતિબંધ લગવવામાં આવ્યો છે..
દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ આસ્થાના એ કહ્યું હતું કે આ સમયમાં પેરા ગ્લાઈડર, પેર મોટર, માનવ રીત વિમાન સિસ્ટમ, ડ્રોન, ક્વાડકોપ્ટર, પેરા જમ્પિંગ એવા કોઈપણ માનવ રહિત હવાઈ વાહનો ઉડાવવા પર પ્રતિબંધ રહેશે. કારણ કે તેના ઉપયોગથી આતંકીઓ પણ સામાન્ય માણસો અને સંસાધનોની સુરક્ષા માટે ખતરો ઊભો કરી શકે છે. ઈન્ટેલિજન્સ બ્યૂરોએ દિલ્હી પોલીસને નવ પાનાનું એલર્ટ આપ્યું હતું. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આતંકી દેશના મોટા મોટા નેતાઓને નિશાન બનાવવાનું ષડયંત્ર બનાવી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકી સંગઠનો ખલિસ્તાન લીબરેશન ફોર્સ કે બીજા કોઈ સંગઠન સાથે મળીને આ ષડયંત્રને અંજામ આપી શકે છે. આ અગાઉ થોડા દિવસ પહેલા જ દિલ્હીના ગાઝીપુર ફૂલ મંડીમાં એક બેગ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ, બોમ્બ સ્કવોડ અને ફાયર વિભાગના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મળેલી માહિતી મુજબ, પૂર્વ દિલ્હીના ગાઝીપુર ફૂલ મંડીમાં એક બિનવારસી થેલી મળી આવતા ખળભળાટ મચી ગયો હતો ત્યાર બાદ તેની પ્રથમ માહિતી પોલીસને આપવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બેગની આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો હતો. એ જ દિવસે સવારે 10.30 વાગ્યે બોમ્બે કોલ આવ્યો હતો.