ગણતંત્ર દિવસના પર્વ પર આઈ.બી.એ.આપ્યું એલર્ટ,મોટા નેતાઓને બનાવવામા આવી શકે છે ટાર્ગેટ

રાજધાનીમાં 20 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી માનવ રહીત હવાઈ વાહનો પર પ્રતિબંધ લગવવામાં આવ્યો છે..

New Update

ગણતંત્ર દિવસ નિમિત્તે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. આતંકી હુમલાની ભીતિને પગલે IB એ પોલીસને નવ પાનાનો રિપોર્ટ સોંપ્યો છે ગણતંત્ર દિવસ અગાઉ કોઈ પણ પ્રકારના આતંકી ખતરાને પહોંચી વળવા માટે દિલ્હી પોલીસે તૈયારી કરી લીધી છે. રાજધાનીમાં 20 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી માનવ રહીત હવાઈ વાહનો પર પ્રતિબંધ લગવવામાં આવ્યો છે..

દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ આસ્થાના એ કહ્યું હતું કે આ સમયમાં પેરા ગ્લાઈડર, પેર મોટર, માનવ રીત વિમાન સિસ્ટમ, ડ્રોન, ક્વાડકોપ્ટર, પેરા જમ્પિંગ એવા કોઈપણ માનવ રહિત હવાઈ વાહનો ઉડાવવા પર પ્રતિબંધ રહેશે. કારણ કે તેના ઉપયોગથી આતંકીઓ પણ સામાન્ય માણસો અને સંસાધનોની સુરક્ષા માટે ખતરો ઊભો કરી શકે છે. ઈન્ટેલિજન્સ બ્યૂરોએ દિલ્હી પોલીસને નવ પાનાનું એલર્ટ આપ્યું હતું. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આતંકી દેશના મોટા મોટા નેતાઓને નિશાન બનાવવાનું ષડયંત્ર બનાવી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકી સંગઠનો ખલિસ્તાન લીબરેશન ફોર્સ કે બીજા કોઈ સંગઠન સાથે મળીને આ ષડયંત્રને અંજામ આપી શકે છે. આ અગાઉ થોડા દિવસ પહેલા જ દિલ્હીના ગાઝીપુર ફૂલ મંડીમાં એક બેગ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ, બોમ્બ સ્કવોડ અને ફાયર વિભાગના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મળેલી માહિતી મુજબ, પૂર્વ દિલ્હીના ગાઝીપુર ફૂલ મંડીમાં એક બિનવારસી થેલી મળી આવતા ખળભળાટ મચી ગયો હતો ત્યાર બાદ તેની પ્રથમ માહિતી પોલીસને આપવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બેગની આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો હતો. એ જ દિવસે સવારે 10.30 વાગ્યે બોમ્બે કોલ આવ્યો હતો. 

Read the Next Article

મહારાષ્ટ્રના પૂણેમાં પુલ ધરાશાયી થતાં આશરે 30 લોકો નદીમાં તણાયા હોવાની સંભાવના, બે મૃતદેહ મળ્યા

અનરાધાર વરસાદના કારણે પૂણેની ઈન્દ્રાયણી નદી પર આવેલો પુલ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 25થી 30 લોકો તણાયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી

author-image
By Connect Gujarat Desk
New Update
Pune Bridge collapses

મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદના કારણે પૂણેની Indrayani River પર આવેલો પુલ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 25થી 30 લોકો તણાયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

પૂણે ગ્રામીણ વિસ્તાર કુંદમાલામાં ભારે વરસાદના કારણે ઈન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો. જેમાં 25થી 30 પ્રવાસીઓ તણાયા હોવાની માહિતી મળી છે. તમામ પુલ પર ઉપસ્થિત હતા. આ ઘટના પૂણેના માવલ તાલુકાની છે. અહીંનું કુંદમાલા તેના કુદરતી સૌંદર્યના કારણે પ્રચલિત પ્રવાસન સ્થળ છે.

પોલીસફાયર બ્રિગેડએનડીઆરએફ અને સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી છે. જેમાં પાંચથી છ લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. માવલ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તેમાં આજે રવિવાર હોવાના કારણે પ્રવાસીઓની ભીડ વધુ હતી. ઈન્દ્રાયણી નદીમાં જળસ્તર વધ્યું હોવાથી આસપાસના લોકો દ્રશ્ય નિહાળવા આવ્યા હતા. પરંતુ અચાનક પુલ તૂટી પડતા લોકો તણાયા હતા.

કુંદમાલાના એક કિનારેથી બીજા કિનારે જવા માટે બનેલો પુલ અત્યંત જૂનો હતો. જે જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા બે-ત્રણ મહિનાથી તેના પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જો કેરવિવાર તેમજ વરસાદના માહોલમાં કુદરતી રમણીય દ્રશ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. બપોરે અચાનક પુલ તૂટી પડ્યો હતો.