કેરળ : ભારે વરસાદના કારણે સર્જાયેલ વિવિધ ઘટનામાં 21 લોકોના મોત, કેટલાક લોકો લાપતા

New Update

કેરળમાં વરસાદના કારણે સર્જાયેલ વિવિધ ઘટનામાં અત્યાર સુધી 21 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ઉપરાંત અનેક જિલ્લામાં કેટલાક લોકો લાપતા પણ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પીએમ નરેન્દ્ર મોદીએ કેરળના સીએમ પિનરાઈ વિજયન સાથે વાત કરી હતી. તો આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્ર દ્વારા તમામ મદદ કરવાનું જણાવ્યુ છે.

દક્ષિણ ભારતના સાંકડી પટ્ટીના આકારમાં આવેલ રાજ્ય કેરળમાં ગત રવિવારે વરસાદનું જોર થોડું ધીમું પડ્યું હતું. હવામાન વિભાગના મતે, કેરળમાં એક-બે દિવસમાં વરસાદનું જોર ઘટશે. જોકે, કેરળના ઈડુક્કીના પીરુમેડુમાં ગત શનિવારે 11 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. થોડો સમય વિનાશકારી વરસાદ પડતા જ ભૂસ્ખલનની દર્દનાક તસવીરો સામે આવી છે. ઘટના બાદ કેરળમાં થલ સેના, વાયુસેના, નૌસેના તેમજ NDRF દ્વારા બચાવ અભિયાન શરૂ દેવામાં આવ્યું છે. NDRFએ 8 મહિલા અને 7 બાળક સહિત 33 લોકોને બચાવી સુરક્ષિત સ્થળે ખસેડયા હતા. તો જળસ્તર વધતા બંધવાળા વિસ્તારોમાં પાણી છોડવાની આશંકાના પગલે રેડ એલર્ટ પણ જાહેર કરાયું હતું. કેરળના કોટ્ટાયમ, ઈડુક્કી પથનમથિટ્ટા જિલ્લાના પહાડી વિસ્તારોમાં 2018-19ના વિનાશકારી પુર જેવી સ્થિતિ સર્જાય છે.

Read the Next Article

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ફરી દુર્ઘટના, ઢાબાની છત તૂટી પડતા એક ભક્તાનું મોત, 7થી વધુ ઘાયલ

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ફરી એક વખત ભક્તો સાથે દુર્ઘટના ઘટી છે. ઢાબાની છત તૂટી પડતા એક ભક્તાનું મોત અને અનેક ઘાયલ થયા છે. સોમવાર-મંગળવારે રાત્રે લગભગ 3 વાગ્યે

New Update
baga

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ફરી એક વખત ભક્તો સાથે દુર્ઘટના ઘટી છે. ઢાબાની છત તૂટી પડતા એક ભક્તાનું મોત અને અનેક ઘાયલ થયા છે.

સોમવાર-મંગળવારે રાત્રે લગભગ 3 વાગ્યે મધ્યપ્રદેશના છતરપુર ખાતે આવેલા બાગેશ્વર ધામમાં એક ગંભીર દુર્ઘટના ઘટી હતી. અહીં એક ધર્મશાળાની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જેના કારણે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના અદલહાટ ગામના રહેવાસી કાટમાળમાં દટાઈ જવાથી ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.

આ ઘટના સમયે તેઓ તેમના પરિવાર સાથે ધર્મશાળામાં સૂઈ રહ્યાં હતા ત્યારે અચાનક દિવાલ ભરી પડી હતી. આ દુર્ઘટનામાં કુલ 10 લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 4 ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે ગ્વાલિયર રેફર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ઘાયલોની સારવાર છતરપુરની હોસ્પિટલમાં ચાલી રહી છે. આ દુર્ઘટનાને લઈને અધિકારીઓએ કહ્યું કે દિવાલ કેમ પડી તેની તપાસ ચાલુ છે. સાથે સરકાર તરફથી મૃતકના પરિવારમાં વળતર આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.