કાળિયાર હરણનો વિડીયો પી.એમ.મોદીને ખૂબ પસંદ આવ્યો, રીટ્વિટ કરી લખ્યું Excellent!

New Update

હરણ એ નાના મોટા સૌનું પ્રિય પ્રાણી હોય છે. જેને જોવા માટે લોકો પ્રાણી સંગ્રહાલયમાં જાય છે. પરંતુ આવા એક બે નહીં પણ હજારો હરણોનું ટોળું તમને એકસાથે જોવા મળે તો વાત જ ના પૂછો. હાલમાં સોશિયલ મીડિયામાં હરણોના મોટા ટોળાનો એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે અને આ વિડીયો બીજી કોઈ જગ્યાનો નહિ પણ ગુજરાતના વેળાવદરનો છે. વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કમાં મોટા ટોળાનો વીડિયો સામે આવ્યો હતો. જે મૂળ ગુજરાતના માહિતી વિભાગ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો હતો.

ગૌરવની વાત તો એ છે કે આ વિડીયો ખુદ વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ રીટ્વીટ કર્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેર કરેલા અદભૂત વીડિયોમાં કાળા હરણોને એક સાથે ભાગતા જોઈ શકાય છે. ભાવનગર જિલ્લાના એક રાષ્ટ્રીય ઉદ્યાનમાં હજારો કાળા હરણો રોડ ક્રોસ કરતા જોવા મળ્યા હતા. "એક્સિલન્ટ(Excellent )!" પીએમ મોદીએ આ વિડીયો શેર કરતા લખ્યું છે.આ વિડીયો વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કનો છે. જેમાં બ્લેક બક્સ મોટા ટોળામાં દેખાઈ રહ્યા છે. આ વિડીયો ગુજરાતના માહિતી વિભાગ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો હતો, જેને વડાપ્રધાને રીટ્વીટ કર્યો હતો.

Read the Next Article

દેશની એકમાત્ર ટ્રેન જેમાં ટિકિટ નથી, મુસાફરો 75 વર્ષથી મફતમાં મુસાફરી કરી રહ્યા છે

ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ જરૂરી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આપણા દેશમાં એક એવી ટ્રેન છે જેમાં મુસાફરો ટિકિટ વિના મુસાફરી કરે છે.

New Update
himachal train

ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ જરૂરી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આપણા દેશમાં એક એવી ટ્રેન છે જેમાં મુસાફરો ટિકિટ વિના મુસાફરી કરે છે.

ટ્રેનમાં મુસાફરી માટે ટિકિટ જરૂરી છે: ભારતમાં વિશ્વનું સૌથી મોટું રેલ નેટવર્ક છે અને અહીં દરરોજ 13,000થી વધુ ટ્રેનો દોડે છે. જે મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી લઈ જાય છે અને પરંતુ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ હોવી જરૂરી છે. ટિકિટ વિના મુસાફરી કરવાથી ભારે દંડ થઈ શકે છે.

આ અનોખી ટ્રેન ક્યાં ચાલે છે?: ભારતની આ અનોખી ટ્રેનનું નામ ભાખરા-નાંગલ ટ્રેન છે જે તમને ટિકિટ વિના મુસાફરી કરવાની મંજૂરી આપે છે. જેને ઐતિહાસિક વારસો તરીકે ઓળખવામાં આવે છે.

આ ટ્રેન 1948માં શરૂ થઈ હતી અને ત્યારથી તે મુસાફરોને મફત મુસાફરી પૂરી પાડતી રહી છે. આ ટ્રેન હિમાચલ પ્રદેશના ભાખરામાં ચાલે છે.

દરરોજ લગભગ 800 મુસાફરો મુસાફરી કરે છે: ભાખરા-નાંગલ ટ્રેન 1948માં ભાખરા-નાંગલ ડેમના નિર્માણમાં સામેલ મજૂરો અને બાંધકામ સામગ્રીને લાવવા લઈ-જવા માટે શરૂ કરવામાં આવી હતી.

આ ટ્રેન 13 કિમીનું અંતર કાપે છે. આ ટ્રેનમાં દરરોજ લગભગ 800 મુસાફરો મુસાફરી કરે છે. જેમાં સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓનો સમાવેશ થાય છે.

તે હવે એક ઐતિહાસિક વારસો બની ગઈ છે: ભાખરા-નાંગલ ટ્રેન પંજાબના નાંગલ અને હિમાચલ પ્રદેશના ભાખરા વચ્ચે દોડે છે. મજૂરોની સુવિધા માટે શરૂ કરાયેલી આ ટ્રેન આજે માત્ર મુસાફરીનું સાધન જ નથી, પરંતુ એક ઐતિહાસિક વારસો પણ બની ગઈ છે.

આ ટ્રેનની મુસાફરી પ્રવાસીઓ માટે ખાસ છે. દેશમાં મફત મુસાફરી પૂરી પાડતી આ ટ્રેન આજે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. શરૂઆતમાં આ ટ્રેનમાં સ્ટીમ એન્જિન હતા જેને ડીઝલ એન્જિનમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે.

Latest Stories