ભરૂચ : જંબુસરના કોરા ગામે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત તાલીમ શિબિર યોજાઈ

New Update
ભરૂચ : જંબુસરના કોરા ગામે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત તાલીમ શિબિર યોજાઈ

તાજેતરમાં જંત્રાણ વિદ્યામંદિર એન.એસ.એસ. યુનિટની ખાસ શિબિર કોરા ગામે યોજાઈ હતી . શાળાના એન.એસ.એસ. યુનિટના તમામ સ્વયંસેવકોએ પ્રોગ્રામ ઓફીસર વિજય કુમાર રાઠવાની આગેવાની તથા આચાર્ય રફીક મન્સુરી ના માર્ગદર્શન હેઠળ ગામના તમામ ફળિયામાં સાફ-સફાઈ કરી હતી અને ગામના તમામ મુખ્ય રસ્તાઓ પરના ખાડામાં માટી કામ કર્યું હતું. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગામ લોકોને મળીને સમજાવી હતી. જ્યાં ગટર જોડાણ ના હોય તેવા કેટલાક ઘરોમાં સ્વયંસેવકોએ શોષખાડા તૈયાર કરી કાર્યરત હાલતમાં સુપ્રત કર્યા હતા.

તમામ કામગીરી પૂર્ણ થયા બાદ ગામમાં સેવા અને સફાઈનો સંદેશ આપતા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી હતી. રેલીનું સમાપન વિશાળ સભાના રૂપમાં થયું હતું જેમાં ગામના સરપંચ ચંદ્રેશભાઇ ગોહિલ, માજી સરપંચ, તલાટી, પ્રાથમિક શાળાના શિક્ષકો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એન. એસ. એસ સ્વયંસેવકોએ નાટક ગીત હાસ્ય સમાચાર પ્રસ્તુત કર્યા હતા.

Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.