મહારાષ્ટ્ર સરકારમાં કોંગ્રેસના ૧૦ મંત્રી લેશે શપથ, જાણો કોને મળી શકે છે મંત્રી પદ?

New Update
મહારાષ્ટ્ર સરકારમાં કોંગ્રેસના ૧૦ મંત્રી લેશે શપથ, જાણો કોને મળી શકે છે મંત્રી પદ?

મહારાષ્ટ્રમાં આજે

ઉદ્ધવ કેબિનેટનું વિસ્તરણ થશે. 10 પ્રધાનો આજે કોંગ્રેસ વતી શપથ લેશે. કેબીનેટ મંડળમાં

મંત્રી તરીકે અશોક ચવ્હાણ, કેસી પાડવી, વિજય વડેત્તીવાર, અમિત દેશમુખ, સુનીલ કેદાર, યશોમતી ઠાકુર, વર્ષા ગાયકવાડ, અસલમ શેખ, જ્યારે સતેજ પાટિલ અને વિશ્વજીત કદમ રાજ્યમંત્રી પદે શપથ લેશે. આ અગાઉ બાલાસાહેબ થોરાટ અને નીતિન રાઉતે કોંગ્રેસ વતી

કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતા. આ રીતે ઉદ્ધવ

સરકારમાં કોંગ્રેસના મંત્રીઓની સંખ્યા 12 થશે.

સૂત્રો અનુસાર શિવસેનાના આદિત્ય ઠાકરે પણ આજે મંત્રી પદના શપથ લઈ શકે છે. આદિત્ય ઠાકરે પ્રથમ

વખત ચૂંટણી લડ્યા છે અને વરલીથી ચૂંટણી જીત્યા છે. કેબિનેટમાં શિવસેના કવોટામાં થી આદિત્ય ઠાકરે, ઉદય સામંત, અબ્દુલ સત્તાર, શંકર ગડખ, અનિલ પરબ, સંદિપન ભૂમરે, શંભુરાજ દેસાઇ, યેદ ગાઉકર, સંજય રાઠોડ, ગુલાબ પાટીલ, દાદા સ્ટ્રો મંત્રી પદના શપથ લઈ શકે છે.

કોના ખાતામાં કેટલા

મંત્રી?

ઉદ્ધવ ઠાકરેએ

મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા, ત્યારે થોડાક જ મંત્રીઓએ શપથ લીધા

હતા. હવે કેબિનેટનું સંપૂર્ણ વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં કોંગ્રેસના 12 પ્રધાન, એનસીપીના 16 અને શિવસેનાના 14 પ્રધાન બનાવવામાં આવી શકે છે. બેઠકો પ્રમાણે મંત્રીમંડળનું વિભાજન કરવામાં

આવી રહ્યું છે.

  • કોંગ્રેસ - 10 કેબિનેટ, 2 રાજ્ય પ્રધાનો
  • એનસીપી - 12 કેબિનેટ, 4 રાજ્ય પ્રધાનો
  • શિવસેના - 11 કેબિનેટ, 3 રાજ્ય પ્રધાન
#Maharashtra #NCP #Congresss #Shivshena
Latest Stories
Read the Next Article

ભરૂચ : ઝઘડીયાના હરીપુરા નજીક રાજપીપળા તરફ જતી કારન...

ભરૂચ : ઝઘડીયાના હરીપુરા નજીક રાજપીપળા તરફ જતી કારનો થયો અકસ્માત,બે લોકોના મોત ત્રણ ઇજાગ્રસ્ત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા નજીક કારને અકસ્માત નડ્યો, ભરૂચથી રાજપીપળા તરફ જઈ રહેલ ફોરવિલ કાર ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

New Update
MixCollage-27-Jul-2025-08-53-PM-5345

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા નજીક કારને અકસ્માત નડ્યો, ભરૂચથી રાજપીપળા તરફ જઈ રહેલ ફોરવિલ કાર ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત સર્જવાનું કારણ ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કે અન્ય કોઈ કારણોસર કાર ડિવાઈડર સાથે અથડાઈ સામેની સાઈડ પર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.

કારમાં સવાર બે મહિલાઓના ઘટના સ્થળે મોત થયા છે જ્યારે અન્ય ૩ લોગો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે અવિધા ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.  સરદાર પ્રતિમાને જોડતો માર્ગ ઘણા સમયથી બિસ્માર હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને આ ખરાબ રસ્તો નિર્દોષ લોકોના જીવનો ભોગ લઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તે જરૂરી બને છે.