મહારાષ્ટ્ર બાદ હવે સૌની નજર ઝારખંડ પર, આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન, નેતાઓએ લગાવી સંપૂર્ણ તાકાત

New Update
મહારાષ્ટ્ર બાદ હવે સૌની નજર ઝારખંડ પર, આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન, નેતાઓએ લગાવી સંપૂર્ણ તાકાત

ઝારખંડમાં

ચૂંટણી પ્રચારનો પ્રથમ તબક્કો પૂરો થયો છે. હવે શનિવાર 3૦

નવેમ્બરના રોજ ચત્રા, ગુમલા, બિશુનપુર, લોહરદગા, લાતેહાર, મનિકા, પલામુ, પાંકી, ડાલ્ટેનગંજ, વિશ્રામપુર, છતરપુર, હુસેનાબાદ, ગઢવા

અને ભવનાથપુર વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાશે.

ઝારખંડ

વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 13 વિધાનસભા બેઠકો માટેનો પ્રચાર ગુરુવારે

સાંજે પાંચ વાગ્યે અટકી ગયો હતો. હવે શનિવારે પ્રથમ તબક્કા માટે 13 વિધાનસભા બેઠકો

પર મતદાન થશે.

પ્રથમ

તબક્કાના મતદાન માટેનું જાહેરનામું 6 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવ્યું હતું, જ્યારે

ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 13 નવેમ્બર હતી. આ પછી, 14

નવેમ્બરના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી અને 16 નવેમ્બર, નામાંકન

પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી. 23 ડિસેમ્બરે મતગણના થશે અને ચૂંટણીના પરિણામો

જાહેર થશે.

પ્રથમ

તબક્કાના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે, રાજકીય

પક્ષોએ તેમની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઝારખંડમાં

ચૂંટણી પ્રચારના પ્રથમ તબક્કા માટે એક સભાને સંબોધન કર્યું હતું. અમિત શાહે

ચત્રાના બાબા ઘાટ બાયપાસ રોડ અને ગઢવાનાં ગોવિંદ હાઇસ્કૂલ મેદાનમાં જાહેર સભાને

સંબોધન કર્યું હતું.

કેન્દ્રીય

ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે ચત્રા વિધાનસભા મત વિસ્તારમાંથી પાર્ટીના

ઉમેદવાર જનાર્દન પાસવાનની તરફેણમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન

મુખ્યમંત્રી રઘુવર દાસ અને કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડા પણ હાજર રહ્યા હતા.

ચત્રા વિધાનસભા બેઠક પર ભાજપે તેના સીટીંગ ધારાસભ્ય જય પ્રકાશસિંહ ભોક્તાની ટિકિટ

કાપીને જનાર્દન પાસવાનને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે

આરજેડીએ સત્યનંદ ભોક્તા પર દાવ રમ્યો છે. સત્યનંદ ભોક્તા અગાઉ ભાજપના ધારાસભ્ય રહી

ચૂક્યા છે.

publive-image

જેને

કારણે ચત્રા વિધાનસભા બેઠક પરની હરીફાઈ ખૂબ જ રસપ્રદ બની છે. વર્ષ 2000માં ઝારખંડ

રાજ્યની રચના પછી, ભાજપના

સત્યનંદ ભોક્તા 2005માં વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. જો

કે, 2009 ની ચૂંટણીમાં

આરજેડીના જનાર્દન પાસવાને ભાજપના વિજયરથ રોકીને જીત્યા હતા. આ પછી, 2014

ની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા જય પ્રકાશસિંહ ભોક્તા અહીંથી જીત્યા હતા.

Read the Next Article

મરાઠી વિવાદ: મુંબઈના રસ્તા પર વેપારીઓ vs MNS, પોલીસે ટિંગાટોળી કરી કાર્યકરોને ડિટેઇન કર્યા

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો.

New Update
marathi bhasa

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો.

વ્યાપારી સંગઠનોએ આનો વિરોધ કર્યો હતો. હવે તેના જવાબમાં મનસેના કાર્યકરોએ મંગળવારે રેલી કાઢી છે, જ્યાં પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે.

એવું કહેવામાં આવે છે કે આ રેલી પોલીસની પરવાનગી વિના કાઢવામાં આવી હતી અને તેના કારણે થાણે જિલ્લામાં ભારે ટ્રાફિક જામ અને તણાવ સર્જાયો હતો. રેલી શરુ થાય તે પહેલાં જ પોલીસે સવારે 3:30 વાગ્યે મનસેના થાણે અને પાલઘરના વડા અવિનાશ જાધવ સહિત ઘણા અગ્રણી નેતાઓને કસ્ટડીમાં લીધા હતા.

આ મામલે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'મનસેના કાર્યકરો દ્વારા કાઢવામાં આવેલી રેલી મંજૂર રૂટ પર નહોતી. તેથી જ પોલીસે કાર્યવાહી કરવી પડી. મહારાષ્ટ્ર એક લોકશાહી રાજ્ય છે અને અહીં કોઈપણ વિરોધ કરી શકે છે, પરંતુ તેના માટે પહેલા પરવાનગી લેવી પડશે.'

આ અંગે પ્રતિક્રિયા આપતાં મનસે નેતા સંદીપ દેશપાંડેએ કહ્યું, 'આ પરિસ્થિતિ કટોકટી જેવી છે. ગુજરાતી વેપારીઓની રેલીને પૂર્ણ સન્માન આપવામાં આવી રહ્યું છે ત્યારે અમારા નેતાઓની વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી. શું આ મહારાષ્ટ્ર સરકાર છે કે ગુજરાત સરકાર? સરકાર ગમે તે કરે, મરાઠી લોકોની આ રેલી ચોક્કસ થશે.'

આ મહિનાની શરુઆતમાં મીરા-ભાયંદર વિસ્તારમાં એક ફૂડ સ્ટોલ માલિકને મરાઠીમાં વાત ના કરવાના કારણે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પછી વેપારી સમુદાયમાં ઘણો ગુસ્સો હતો. વેપારીઓએ આ ઘટનાનો વિરોધ કરવા માટે શાંતિપૂર્ણ રેલીનું આયોજન કર્યું હતું. મનસેએ તેને મરાઠી ઓળખની વિરુદ્ધ ગણાવ્યું હતું અને વિરોધમાં પોતે રેલી કાઢી હતી.

Maharastra | Controversy | MNS | Mumbai | Mumbai Police