ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લીધી અંકલેશ્વર કોસમડીના તળાવની મુલાકાત!
BY Connect Gujarat9 Aug 2018 10:51 AM GMT
X
Connect Gujarat9 Aug 2018 10:51 AM GMT
જળ સંચય યોજના અંતર્ગત ઊંડા કરાયેલ તળાવમાં પાણીના સંગ્રહ વિશેની માહિતિ લીધી
સુજલામ સુફલામ જળ સંચય યોજના અંતર્ગત ઊંડા કરાયેલ અંકલેશ્વરના કોસમડી ગામે આવેલ તળાવની રાજયના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મુલાકાત લીધી હતી.
રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજનાનો અંકલેશ્વરના કોમ્સાડી તળાવ ખાતેથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ત્યારે તા.૯મીના રોજ ભરૂચ પધારેલ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કોસમડી તળાવની મુલાકાત લીધી હતી. જળ સંચય યોજના અંતર્ગત તળાવને ઊંડું કરાયા બાદ વરસાદી પાણીથી તળાવમાં પાણીનો સંગ્રહ થયો છે,તે બાબતે તેઓએ માહિતી મેળવી હતી.
Next Story