સુરતમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદ અંગે જનજાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સામાજિક કાર્યકર્તા કાજલ હિંદુસ્તાનીએ આક્રમક સંબોધન કર્યું હતું.
સુરતમાં વધતા લવ જેહાદના કિસ્સાઓને અટકાવવા કાજલ હિન્દુસ્તાની અધ્યક્ષતામાં કતારગામ વિસ્તારમાં જન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો લવ જેહાદ અને લેન્ડ જેહાદને લઈ કાજલ હિન્દુસ્તાનિએ આક્રમક ભાષણ કર્યું હતું.લવ જેહાદથી બચવા વાલીઓને સતર્ક કરતા જણાવ્યું હતું કે 4 પ્રકારે લવ જેહાદ કરાઈ રહ્યું છે.હિન્દુત્વને સાયલન્ટ સાથ આપવા અપીલ હતી.વકફ બોર્ડના કાયદા પર પ્રહાર કર્યા હતા.લેન્ડ જેહાદ ખુબજ તેજી થી થઈ રહ્યું છે.વકફ કાયદો કોંગ્રેસની દેન છે. વકફ કાયદામાં સંશોધન જરૂરી જે ભારત સરકાર લાવશે.દીકરીઓએ સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ અને સોશ્યલ મીડિયાના માધ્યમથી 14 વર્ષની દીકરીઓને વિધર્મીઓ નિશાન બનાવતા હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો.