PMનું સંબોધન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી "કોવિન ગ્લોબલ કોન્ક્લેવ"ને સંબોધન કરશે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારના રોજ કોવિન ગ્લોબલ કૉન્ક્લેવ (CoWIN Global Conclave) પર પોતાના વિચારો રજૂ કરી સંબોધન કરશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારના રોજ કોવિન ગ્લોબલ કૉન્ક્લેવ (CoWIN Global Conclave) પર પોતાના વિચારો રજૂ કરી સંબોધન કરશે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ(NHA) દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, ભારત દેશ કોરોના સામે લડવા માટે કોવિન(CoWIN)ને વૈશ્વિક સ્તર પર ડિજિટલ પબ્લિક ગુડના રૂપમાં રજૂ કરવા જઈ રહ્યો છે, ત્યારે વર્ચુઅલ માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારના રોજ 'કોવિન ગ્લોબલ કોન્ક્લેવ' અંગે દેશને સંબોધન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કૉન્ક્લેવમાં 20થી વધુ દેશો સાથે કોવિડના નિર્માણ અને વિકાસની સ્ટોરી પણ શેર કરવામાં આવશે. NHA દ્વારા જણાવાયું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં સામેલ થઈ આ પહેલ વિશે પોતાના વિચારો રજૂ કરશે. આ ઉપરાંત વિયેતનામ, પેરુ, મેક્સિકો, ઈરાક, ડોમિનિકન ગણરાજ્ય, પનામા, યૂક્રેન, નાઈઝીરિયા, સંયુક્ત આરબ અમીરાત અને યુગાંડા જેવા દેશોએ પોતાની રસીકરણ કાર્યક્રમ ચલાવવા કોવિન ટેકનીક વિશે શીખવાની રૂચિ પણ વ્યક્ત કરી છે.