અંકલેશ્વર જીઆઈડીસી માં વડીલોનો સેવા યજ્ઞ.

New Update
અંકલેશ્વર જીઆઈડીસી માં વડીલોનો સેવા યજ્ઞ.

ગરમી સામે રક્ષણ આપતી છાશ નું નિ:શુલ્ક વિતરણ શરૂ કર્યું.

અંકલેશ્વર જીઆઈડીસી ના માનવ મંદિર ખાતે વડીલોએ કાળઝાળ ગરમીમાં લોકોને આરોગ્ય પ્રદ છાશનું વિતરણ કેન્દ્ર શરૂ કરી સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો છે.

Advertisment

કુટુંબ,સમાજ માં વડીલો નો છાંયડો પરિવારની એકતા અને અખંડતા માટે માર્ગ દર્શક અને પ્રેરણા રૂપ બની રહે છે,અને એવુજ કંઇ અંકલેશ્વર જીઆઈડીસી માં જોવા મળી રહ્યું છે.સ્વાઇન ફ્લુ,ડેન્ગ્યુ કે અન્ય જીવલેણ બિમારી નો વ્યાપ જયારે વધ્યો હતો અને લોકો પણ બિમારી થી બચવા માટે અવનવા તુકકા લગાવી રહ્યા હતા,ત્યારે એક વર્ષ અગાઉ ફેબ્રુઆરી 2015માં પણ જીઆઈડીસી ના માનવ મંદિર ખાતે સિનિયર સિટીઝન ગ્રુપે ઉકાળાનું નિ:શુલ્ક વિતરણ કર્યું હતું.અને જેનો લાભ માત્ર જીઆઈડીસી ના રહીશો જ નહિ પરંતુ આસપાસના ગામડા ના લોકોએ પણ લીધો હતો.

watermark chas

ગ્રીષ્મ ની શરૂઆત આક્રમક રીતે થઇ છે અને ગરમી સામે રક્ષણ અને શરીર ને ઠંડક બક્ષતી છાશ નું વિતરણ આ સેવાભાવી વડીલો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે,માનવ મંદિર ખાતે ભગવાન ના દર્શન આવતા ભક્તો પણ વડીલો દ્વારા નિ:શુલ્ક વિતરણ કરાતી છાશ નો પ્યાલો ગટ ગટાવી ને ધન્યતા નો અનુભવ કરી રહ્યા છે.

આ અંગે સિનિયર સિટીઝન ગ્રુપ માનવ મંદિર ના એક વડીલે કનેક્ટ ગુજરાત સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે જીઆઈડીસી વિસ્તાર ઉપરાંત ગામડાઓ માંથી લોકોનો ખુબ સારો સહયોગ મળી રહ્યો છે,જેના કારણે વડીલો દ્વારા છાશ નો સેવા યજ્ઞ શરૂ કરીને લોકોને ગરમી માં તૃપ્ત કરી રહ્યા છે.

Read the Next Article

વલસાડ : દાદરાનગર હવેલીમાં સામૂહિક આપઘાતની આશંકા, પિતા અને બે બાળકોના મૃતદેહ મળતા ચકચાર

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા

New Update
  • સામુહિક આપઘાતની ઘટનાથી ચકચાર

  • પિતા અને બે બાળકોના મળ્યા મૃતદેહ

  • પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર

  • પોલીસ તપાસમાં સુસાઈડ નોટ મળી આવી 

  • આપઘાત પાછળનું કારણ જાણવા કવાયત  

Advertisment

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છેજેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસ તપાસમાં સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી છે. આ સુસાઇડ નોટ મૃત્યુ પાછળના કારણો પર પ્રકાશ પાડી શકે છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસારપોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સુસાઇડ નોટની તપાસ બાદ જ આ ઘટના સામૂહિક આપઘાત છે કે કોઈ અન્ય કારણથી મૃત્યુ થયું છેતે અંગેની હકીકત બહાર આવશે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.