કેમેરા મેન માટે મોદી બન્યા તારણ હાર

New Update
કેમેરા મેન માટે મોદી બન્યા તારણ હાર

વડાપ્રધાન નરેન્દ્રમોદી સૌની યોજનાના લોકાર્પણ કરવા માટે સણોસરા ખાતે આવી પહોચ્યા હતા. જ્યાં તેઓએ સૌ પ્રથમ આજી - 3 ખાતે સૌની યોજના નું લોકાર્પણ કરવા પહોચ્યા હતા.

તેઓએ સ્વિચ દબાવી સૌની યોજના નો પ્રારંભ કરાવ્યો હતો.યોજનાના લોકાર્પણ બાદ તેઓ નાનકડી રેલિંગ ઓળંગી ને ડેમની સાઈટ જોવા નજીક પહોચ્યા હતા.આ સમયે સરકારી ચેનલના કેમેરામેન અને ક્રુ ડેમના નીચેના ભાગે હાજર હતા. જેઓ ડેમની અંદર આવનાર પાણીના પ્રવાહની વિડીયો ગ્રાફી કરતા હતા.

વડાપ્રધાને ઈશારો કરી કેમેરામેન અને ક્રુ ને ત્યાંથી હટી જવા કહ્યું હતુ. જો કે ત્યારબાદ કેમેરામેનને કેમેરો લીધા વગર જ ત્યાંથી ખસી જવુ પડયુ હતુ.કારણકે પાણીનો પ્રવાહ ખુબજ વધી ગયો હતો.આમ, વડાપ્રધાનની સમય સુચકતાને કારણે એક કેમેરામેનનો જીવ બચી ગયો હતો,જોકે કેમેરો પાણી માં વહી ગયો હતો.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories