ચોમાસુ નજીક આવતા જ જામનગર મહાનગર પાલિકાને જર્જરિત બિલ્ડીંગો યાદ આવી

New Update
ચોમાસુ નજીક આવતા જ જામનગર મહાનગર પાલિકાને જર્જરિત બિલ્ડીંગો યાદ આવી

જામનગર માહાનગર પાલિકા એ ચોમાસા પૂર્વે સર્વે હાથ ધરી જર્જરિત ઇમારતો અંગે આસામીઓને નોટિસ આપવાની શરૂ કરી છે માત્ર નોટિસ થી સંતોષ માનવાને બદલે દાખલારુપ કાર્યવાહી થવા અંગે ચર્ચા ઉઠી રહી છે.

જામનગર મહાનગર પાલિકા ને જેવુ ચોમાસુ નજીક આવે એટલે જર્જરિત બિલ્ડીંગો યાદ આવતી હોય છે જે બિલ્ડીંગો જર્જરિત હાલત માં છેલ્લા ત્રણ વર્ષ થી ઊભી છે. તેને નોટિસ આપીને સંતોષ માનવને બદલે નક્કર કાર્યવાહી શા માટે કરવામાં નથી આવતી તે એક સવાલ છે. જામનગર મહાગનાર પાલિકા દ્વારા જર્જરિત બિલ્ડીંગ ની વાત કરીએ તો કુલ 111 જર્જરિત બિલ્ડીંગો ની સર્વે આધારિત રિપોર્ટ તૈયાર કરવામાં આવેલ હતો તે મુજબ નોટિસો પણ આપવામાં આવી હતી. જેમાંથી 61 જેટલા આસામીઓને જર્જરિત ભાગ દૂર કરી દીધા નો રિપોર્ટ તંત્ર એ કરેલ હતો.

પરંતુ 50 જેટલા જર્જરિત બિલ્ડીંગ ના આસામીઓને મહાનગર પાલિકાની નોટિસને ગણકારી પણના હતી મહાનગર પાલિકાની નોટિસને જર્જરિત મીલ્કત ધારકો ગાંઠતા પણ નથી આવા જર્જરિત બિલ્ડીંગોને દૂર કરવા માટે તંત્ર કોની શરમ અબુભાવે છે. શહેર માં જર્જરિત બિલ્ડીંગો લોકોના મોત ના સામાનની જેમ ઊભી છે. આવી અનેક જર્જરિત ઇમારતો ના અકસ્માત માં જીવ ગુમાવ્યાના કિસ્સા પણ બન્યા છે. અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે આ કિસ્સાઓમાંથી તંત્ર બોધપાઠ શા માટે લેતું નથી તે પણ એક પ્રશ્ન છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.