ભગવાન શ્રીરામ અને રાવણની મૂર્તિની સ્થાપના એકસાથે!

New Update
ભગવાન શ્રીરામ અને રાવણની મૂર્તિની સ્થાપના એકસાથે!

ભારતમાં ભગવાન રામના ઘણાં મંદિરો છે. તેમની પૂજા સમગ્ર દેશમાં શ્રદ્ધાથી થાય છે. જ્યારે શ્રીલંકામાં લંકાપતિ રાવણનું મંદિર જોવા મળવુ તે સામાન્ય બાબત છે. પરંતુ દેશમાં સૌપ્રથમવાર એવું બની રહ્યું છે કે લંકાપતિ રાવણ અને ભગવાન શ્રીરામની મૂર્તિ એક સાથે સ્થાપિત કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના જનપદ ગૌતમબુદ્ધ નગરની પાસે બિસરખ ધામમાં રાવણ અને ભગવાન શ્રીરામની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. આ મંદિરે દાવો કર્યો હતો કે આ પહેલુ એવું મંદિર બનશે જેમાં રાવણ અને ભગવાન રામની મૂર્તિ એકસાથે સ્થાપિત થશે.

Advertisment

મોહન મંદિર યોગ આશ્રમ ટ્રસ્ટ તથા મહાત્મા રાવણ ટ્રસ્ટના સંસ્થાપક અધ્યક્ષ અશોકાનંદજી મહારાજે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે રાવણ મંદિરનું નિર્માણ કાર્ય છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવી રહ્યું હતું અને હવે મંદિરની સાથે મૂર્તિઓ પણ તૈયાર છે.

હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહેલો હોવાથી 11 ઓગષ્ટના રોજ મૂર્તિઓને સ્થાપિત કરવાનું મંગલકાર્ય પૂરા વિધિ વિધાન સાથે કરવામાં આવશે. જે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા 4 પૂજારીઓ રાખવામાં આવ્યા છે. આ શુભ દિવસે ગણેશ મંદિર, રામ પરિવાર મંદિર, રાધા-કૃષ્ણ મંદિર, માં દુર્ગા મંદિર, હનુમાન મંદિર, શનિ મંદિર, મોહનબાબા મંદિર અને રાવણ મંદિરમાં મૂર્તિ સ્થાપના કરવામાં આવશે.

અશોકાનંદજી મહારાજે જણાવ્યું હતું કે 11 ઓગષ્ટે લંકાપતિ રાવણના પિતા ઋષિ વિશ્રવાની તપોભૂમિ અને રાવણના જન્મસ્થળ એવા બિસરખમાં મૂર્તિ સ્થાપનનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી ધાર્મિક, સામાજીક અને ધાર્મિક લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. સ્વામી ચક્રપાણિ મહારાજ આ સમારંભમાં મુખ્ય અતિથિ બનશે.

Read the Next Article

મુંબઈમાં વરસાદી આફત, અનેક વિસ્તારો જળમગ્ન, વિક્રોલીમાં ભૂસ્ખલન થતાં 2 લોકોના મોત

મહારાષ્ટ્રના મુંબઈમાં મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. કુર્લા, સાયન સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.

author-image
By Connect Gujarat Desk
New Update
rain

મહારાષ્ટ્રના મુંબઈમાં મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. કુર્લા, સાયન સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.

Advertisment

હવામાન વિભાગે આફત જેવા વરસાદને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જારી કર્યું છે. દરમિયાન ભારે વરસાદને કારણે વિક્રોલીમાં ભૂસ્ખલન થયું. જેના કારણે 2 લોકોના મોત થયા. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

માહિતી અનુસાર આ ભૂસ્ખલન મુંબઈના વિક્રોલી (પશ્ચિમ) માં જન કલ્યાણ સોસાયટી, વર્ષા નગર વિક્રોલી પાર્ક સાઇટમાં થયું હતું. બીએમસીએ જણાવ્યું હતું આ ભૂસ્ખલનને કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે 2 અન્ય ઘાયલ થયા છે. ભૂસ્ખલન બાદ, નજીકના લોકો ગભરાઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના ચિશોતી ગામમાં પણ ભૂસ્ખલન થયું હતું. જેના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે ઘણા લોકો ફસાયા હતા. હાલમાં, અસરગ્રસ્ત લોકોને બચાવવા માટે વહીવટી તંત્ર, પોલીસ, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) અને અન્ય સુરક્ષા એજન્સીઓના સહયોગથી કામ ચાલી રહ્યું છે.

India | Heavy Rain Fall | Mumbai Rain | monsoon season

Latest Stories